દિવાળીના તહેવારોને ધ્યાને લઈ ગત ૩જી ઓક્ટોબરથી શહેરના એમ.જી. રોડ, જમાદાર શેરી, ખારગેટ, સુભાષનગર રોડ, ચિત્રા, તળાજા રોડ અને અન્ય વિસ્તારમાં આવેલી મીઠાઈ-ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓની પેઢીમાં મનપાની ફૂડ શાખા, આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી પનીર, ઘી, ખાદ્યતેલ, કાચો માલ-સામાન વગેરેનો સંગ્રહ અને વેચાણ કરતા ૪૩ જેટલા આસામીઓ પાસેથી ૬૬ નમૂના લઈ તપાસ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે તપાસમાં ગત તા.૯-૧૦ના રોજ નાગરપોળના ડેલા પાસે આવેલ અરીહંત ઘી ભંડારમાંથી શંકાસ્પદ જણાતા લૂઝ ઘીનો નમૂનો લઈ લેબલ વગરના ૧૫ કિલોના ૧૪ ડબ્બા (અંદાજે કિ.રૂા.૧,૩૭,૨૦૦), તા.૧૪-૧૦ના રોજ અમીપરા સ્થિત એલિયા ઓઈલ ડેપોનાગોડાઉનમાંથી નમૂના લઈ ૫૦ પેક ડબ્બા (અંદાજે કિ.રૂા.૧,૦૮,૦૦૦) તેમજ સત્યનારાયણ રોડ પરની દેવ સેલ્સ એજન્સીમાંથી કૈલાશપતિ રિફાઈન્ડ કોટનસીડ ઓઈલના નમૂના લઈ ૭૫ પેક ડબ્બા (અંદાજે કિ.રૂા.૧,૬૨,૦૦૦) સીઝ કર્યા હતા. આ તમામ પેઢીઓ સામે નમૂના એનાલિસીસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
Trending
- બાવન વર્ષની વયે Malaika આઈટમ સોંગમાં : બે કરોડની ફી વસૂલી
- બોલિવૂડમાં કાળો જાદુ થાય છે! અભિનેત્રી Amrita Rao
- ફિલ્મોમાં બીફને લગતા ઉલ્લેખો પર Censor board પ્રતિબંધ મૂકશે
- ક્વીનનો સર્જક Vikas Bahl અલીઝેહ અને રાઘવ સાથે ફિલ્મ બનાવશે
- Varun નો એન્ટ્રી ટુ છોડી દીધાની ચર્ચાથી બોની કપૂર નારાજ
- Lakshya- અનન્યાની ચાંદ મેરા દિલની રીલિઝ ડેટ હજુ પણ નક્કી નહિ
- PM Modi અમેરિકી પ્રમુખ ટ્રમ્પથી ડરે છે: રાહુલનો આક્ષેપ
- 2040માં Gold ના ભાવ ખાનગી જેટ વિમાન જેટલા થઈ જશેઃ રસપ્રદ સરખામણી