Mumbai, તા.5
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નામ તેમના મૃત્યુ પછી પણ સતત ચર્ચામાં છે. તેનું મુખ્ય કારણ તેમના વ્યવસાયિક સામ્રાજ્ય સોના કોમસ્ટરની 30 હજાર કરોડ રૂપિયાની સંપત્તિના વિભાજન અંગેનો વિવાદ છે.
આ કિસ્સામાં, સંજયની માતા અને સોના કોમસ્ટરના ભૂતપૂર્વ પ્રમુખ રાની કપૂર પહેલાથી જ ઘણા ચોંકાવનારા દાવા કરી ચૂકી છે. તેમણે પોતાના પુત્રની હત્યાનો ભય વ્યક્ત કર્યો છે અને આ અંગે તેમણે ગુનાહિત તપાસ માટે બ્રિટિશ પોલીસને એક ખાસ પત્ર પણ લખ્યો છે,
જેમાં અનેક પ્રકારના દાવા કરવામાં આવ્યા છે.જેમાં તેમણે દાવો કર્યો છે કે તેમણે તેમના પુત્રના મૃત્યુની આસપાસના અસ્પષ્ટ રહસ્યમય સંજોગોમાં સંપૂર્ણ તપાસની માંગ કરી છે. રાની કપૂર માને છે કે સંજયનું મૃત્યુ કુદરતી કે આકસ્મિક નહોતું પરંતુ એક નાપાક ષડયંત્રનું પરિણામ હતું.