નાયબ સિંહ સૈનીએ પંચકુલામાં પદ અને ગુપ્તતાના શપથ લીધા : ૧૪ ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લીધા
Chandigarh, તા.૧૭
નાયબ સિંહ સૈનીની બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે તાજપોશી કરવામાં આવી છે. પંચકુલાના શાલીમાર ગ્રાઉન્ડ ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ અને મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. અનિલ વિજ સહિત ૧૩ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લીધા હતા. માનવામાં આવી રહ્યું છે કે સૈનીની કેબિનેટમાં જ્ઞાતિ સમીકરણનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. આ અવસર પર પીએમ મોદી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ અને ભાજપ અને એનડીએ સહયોગી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર છે. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.
નાયબ સિંહ સૈની બાદ અનિવ વિજે મંત્રી તરીકે શપથ લીધા. અનિલ વિજ હરિયાણામાં ભાજપના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય છે. તેઓ અંબાલા કેન્ટ મતવિસ્તારમાંથી સતત સાતમી વખત જીત્યા. વિજ મનોહર લાલ ખટ્ટરની સરકારમાં હરિયાણાના ગૃહમંત્રી હતા. વિજે આરોગ્ય અને રમતગમત જેવા ઘણા પોર્ટફોલિયો પણ સંભાળ્યા છે. ૨૦૧૪ પહેલા તેઓ રાજ્યમાં બીજેપી વિધાયક દળના નેતા હતા. ત્યારબાદ કૃષ્ણ લાલ પંવાર, રાવ નરબીર સિંહ, મહિપાલ ઢાંડા, વિપુલ ગોયલે મંત્રી પદના શપથ લીધા હતા.
અનિલ વિજ બાદ ભાજપના ધારાસભ્ય કૃષ્ણલાલ પંવારે મંત્રી પદના શપથ લીધા. તેઓ બીજી વખત મંત્રી બન્યા છે. પંવાર દલિત સમુદાયમાંથી આવે છે. કૃષ્ણલાલ પંવાર પાણીપતની ઇસરાના સીટના ધારાસભ્ય છે. તેમણે કુલ સાત વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાંથી તેઓ પાંચ વખત જીત્યા હતા. પંવારે તાજેતરમાં રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું. કૃષ્ણલાલ એક સમયે પાણીપતના થર્મલ પ્લાન્ટમાં વીજળી બોર્ડના કર્મચારી હતા. તેણે થી પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી હતી. તેઓ ૈંદ્ગન્ડ્ઢ છોડીને ૨૦૧૪માં ભાજપમાં જોડાયા હતા.