New Delhi,તા.૧૯
પીએમ નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક સંદેશમાં, દેશના વડાપ્રધાને લખ્યું, “તમારું સ્વાગત છે ક્રૂ ૯! ધરતીએ તમને મિસ કર્યા.”
પીએમ મોદીએ આગળ લખ્યું “તેમનો આ અનુભવ ધૈર્ય અને અમર્યાદ માનવ ભાવનાની કસોટી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ અને ક્રૂ ૯ ના અવકાશયાત્રીઓએ ફરી એકવાર આપણને બતાવ્યું છે કે દ્રઢતાનો ખરેખર અર્થ શું થાય છે. ભારે અનિશ્ચિતતાનો સામનો કરતી વખતે તેમનો અટલ નિશ્ચય લાખો લોકોને હંમેશા પ્રેરણા આપશે.”
ક્રૂ ૯ રીટર્ન મિશન પૂર્ણ થયા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં કહ્યું, “અવકાશ સંશોધનનો અર્થ છે માનવ ક્ષમતાની સીમાઓને આગળ વધારવી, સ્વપ્ન જોવાની હિંમત કરવી અને તે સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની હિંમત કરવી.”
પીએમએ સુનિતા વિલિયમ્સ વિશે કહ્યું કે તે એક અગ્રણી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન આ ભાવનાનું ઉદાહરણ આપ્યું છે. અમને તે બધા લોકો પર ખૂબ ગર્વ છે જેમણે તેમના સુરક્ષિત વાપસી માટે અથાક મહેનત કરી. તેમણે બતાવ્યું છે કે જ્યારે ચોકસાઇ જુસ્સા સાથે મળે છે અને તકનીક સાથે દ્રઢતા મળે છે ત્યારે શું થાય છે.”