Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમદાવાદથી સોમનાથ જતી બસને Rajkot નજીક નડ્યો અકસ્માત

    July 19, 2025

    Surendranagar: ક્રિશ્ના હાઇટ ફ્લેટમાં પીવાના પાણી માટે રહીશોને રઝળપાટ

    July 19, 2025

    Surendranagar:ચુડાના કંથારિયામાં 38 વર્ષીય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

    July 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમદાવાદથી સોમનાથ જતી બસને Rajkot નજીક નડ્યો અકસ્માત
    • Surendranagar: ક્રિશ્ના હાઇટ ફ્લેટમાં પીવાના પાણી માટે રહીશોને રઝળપાટ
    • Surendranagar:ચુડાના કંથારિયામાં 38 વર્ષીય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
    • Surendranagar :સાબરમતી નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા
    • ‘કિંગ’ના સેટ પર Shah Rukh Khan ઈજાગ્રસ્ત થયો હોવાનો દાવો, સારવાર માટે અમેરિકા પહોંચ્યો?
    • PM મોદી Britainની મુલાકાતે જશે,વેપાર ડીલ કરશે,માલદીવ્સમાં મુઇજ્જુ સાથે થશે બેઠક
    • રાજયમાં છેલ્લા 10 વર્ષથી Abhayam 181 helpline મહિલા માટે સુરક્ષા આશ્રય-સશકિતકરણનું પ્રતિક બની
    • Wall Street Journal and Rupert Murdoch પર 10 અબજ ડોલરનો દાવો ઝીંકતા ટ્રમ્પ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»શિમલા, કુલ્લુ, મંડી North India માં કુદરતનો કહેર, આભ ફાટતાં 11 મોત, 44થી વધુ લોકો ગુમ
    રાષ્ટ્રીય

    શિમલા, કુલ્લુ, મંડી North India માં કુદરતનો કહેર, આભ ફાટતાં 11 મોત, 44થી વધુ લોકો ગુમ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.01

    દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા શહેરોમાંથી વરસાદના કારણે વિનાશના સમાચારો મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે દિલ્લીમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો, તો હિમાચલમાં કુલ્લુ અને શિમલામાં પણ આભ ફાટ્યું છે. જેમાં લગભગ 44 લોકો ગુમ છે તો 11 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે.

    કુલ્લુ અને મંડીમાં વાદળ ફાટવાના કારણે અરાજકતા

    કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બાદ હવે કુલ્લુમાં પણ આભ ફાટવાં અને ભયાનક ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા છે. સૌથી વધુ નુકસાન અહીં નિરમંડ ઉપમંડલના બાગીપુલ વિસ્તાર થયું હતું. અહીં લગભગ 9 જેટલાં મકાન ભૂસ્ખલનની લપેટમાં આવી ગયા હતા. જેના લીધે એક આખો પરિવાર એટલે કે ચાર લોકો મકાન સહિત ભૂસ્ખલનમાં વહી ગયા હતા.

    ઘણા લોકો ગુમ, બચાવ કામગીરી મુશ્કેલ

    થલતુખોડમાં ફસાયેલા લોકો સુધી પહોંચવું મુશ્કેલ હોવાથી એરફોર્સની સાથે NDRF પાસેથી પણ મદદ લેવામાં આવી છે. હિમાચલ પ્રદેશના શિમલા અને કુલ્લુ જિલ્લાના રામપુરને અડીને આવેલા 15-20 વિસ્તારોમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. મળતી માહિતી મુજબ શ્રીખંડની પહાડીઓ પર આવેલા નૈન સરોવરની આસપાસ વાદળ ફાટવાના કારણે કુર્પણ, સમેજ અને ગણવી કોતરોમાં ભારે પૂર આવ્યું છે.

    હિમાચલના મંડીમાં આભ ફાટ્યું

    હિમાચલના મંડી જિલ્લાના રાજવન ગામમાં મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. પાણીના જોરદાર પ્રવાહથી અનેક ઘરો ઘરાશાયી થયા છે. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે 10થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. અંતરિયાળ વિસ્તારને કારણે પંચાયતના પ્રતિનિધિઓ અને અધિકારીઓનો સંપર્ક કરી શકતું નથી. મોબાઈલ સેવા તથા માર્ગો પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. નોંધનીય છે કે, મંડી બેઠકથી કંગના રણૌત ભાજપના સાંસદ છે.

    કેદારનાથ-યમુનોત્રી ચારધામની યાત્રા રોકવામાં આવી 

    ઉત્તરાખંડમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. કેદારનાથ વિસ્તારમાં આભ ફાટવાથી મંદાકિની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે ગૌરીકુંડ વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ છે. મંદાકિની નદીનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી જતાં SDRFના જવાનોને રવાના કરવામાં આવ્યા છે. કેદારનાથ અને યમુનોત્રીના પગપાળા રૂટ પર વરસાદના કારણે યાત્રા રોકી દેવામાં આવી છે. ભક્તોને સુરક્ષિત સ્થાન પર આશરો આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ધામીએ ઈમરજન્સી કંટ્રોલરૂમથી વરસાદ અંગે સમીક્ષા કરી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે કે, ‘કેદારનાથમાં ભક્તોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડી દેવામાં આવ્યા છે.’

    ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું, ‘કાલે રાત્રે વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે જાનમાલનું નુકસાન થયું છે. 3 લોકોના મોત થયા છે. પુલને મોટું નુકસાન થયું છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે જે લોકો કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.’

    ઉત્તર પ્રદેશમાં રેલવેની જૂની બાઉન્ડ્રી વોલ ધરાશાયી

    વરસાદના કારણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રામબાગમાં રેલવેની જૂની બાઉન્ડ્રી વોલ ધરાશાયી થઈ ગઈ છે. બાઉન્ડ્રી વોલ ધરાશાયી થવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અંદાજે 14 ફૂટ ઉંચી બાઉન્ડ્રી વોલ ધરાશાયી થતાં અનેક વાહનો કાટમાળ નીચે ફસાયા હતા. બાઉન્ડ્રી વોલ ધરાશાયી થતાં વીજ થાંભલાને પણ નુકસાન થયું હતું.

    જયપુરમાં પાણી ભરાયા, પિતા સાથે 3 બાળકો ગુમ

    રાજસ્થાનના જયપુરમાં પણ વરસાદી માહોલ છે. શહેરના રસ્તા, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, હોસ્પિટલ બધું જ નદી બની ગયું છે. ઝૂંપડપટ્ટીની વસાહતો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે. સિવિલ ડિફેન્સની ટીમો મોટરો વડે ઘરોમાંથી પાણી ખાલી કરી રહી છે. અહીં પૂરના કારણે પિતા સહિત ત્રણ બાળકો ગુમ થયા છે. જોકે, સિવિલ ડિફેન્સને હજુ સુધી કોઈની લાશ મળી નથી.

    cloudburst himachal-pradesh kullu mandi north-india uttarakahnd
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    PM મોદી Britainની મુલાકાતે જશે,વેપાર ડીલ કરશે,માલદીવ્સમાં મુઇજ્જુ સાથે થશે બેઠક

    July 19, 2025
    રાષ્ટ્રીય

    આતંકીઓને ભરી પીવા Jammu and Kashmir માં 10 સ્થળે તલાશી અભિયાન

    July 19, 2025
    રાષ્ટ્રીય

    G-7 દેશોને રશિયન ક્રુડ-ગેસ ખરીદવાની છૂટ: યુરોપીયન સંઘના બેવડુ વલણ ભારતને સ્વીકાર્ય નથી: S.Jaishankar

    July 19, 2025
    રાષ્ટ્રીય

    રશિયા પર યુરોપીયન સંઘના ક્રુડ પ્રતિબંધથી Naira and Reliance બન્ને સામે પડકાર

    July 19, 2025
    રાષ્ટ્રીય

    Global warming effect? કૈલાસ પર્વત પરથી ગાયબ થવા લાગ્યો બરફ

    July 19, 2025
    રાષ્ટ્રીય

    Air India crash: વોલસ્ટ્રીટ જર્નલ અને રોઈટરને પાયલોટ એસો.ની નોટીસ

    July 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અમદાવાદથી સોમનાથ જતી બસને Rajkot નજીક નડ્યો અકસ્માત

    July 19, 2025

    Surendranagar: ક્રિશ્ના હાઇટ ફ્લેટમાં પીવાના પાણી માટે રહીશોને રઝળપાટ

    July 19, 2025

    Surendranagar:ચુડાના કંથારિયામાં 38 વર્ષીય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

    July 19, 2025

    Surendranagar :સાબરમતી નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા

    July 19, 2025

    ‘કિંગ’ના સેટ પર Shah Rukh Khan ઈજાગ્રસ્ત થયો હોવાનો દાવો, સારવાર માટે અમેરિકા પહોંચ્યો?

    July 19, 2025

    PM મોદી Britainની મુલાકાતે જશે,વેપાર ડીલ કરશે,માલદીવ્સમાં મુઇજ્જુ સાથે થશે બેઠક

    July 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અમદાવાદથી સોમનાથ જતી બસને Rajkot નજીક નડ્યો અકસ્માત

    July 19, 2025

    Surendranagar: ક્રિશ્ના હાઇટ ફ્લેટમાં પીવાના પાણી માટે રહીશોને રઝળપાટ

    July 19, 2025

    Surendranagar:ચુડાના કંથારિયામાં 38 વર્ષીય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

    July 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.