Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો આધ્યાત્મિક અર્થ..

    August 18, 2025

    મંગળવારે અજા એકાદશી નુ મહત્વ

    August 18, 2025

    વૃક્ષ એટલે ઓકિસજનનું નિ:શુલ્ક કારખાનું

    August 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો આધ્યાત્મિક અર્થ..
    • મંગળવારે અજા એકાદશી નુ મહત્વ
    • વૃક્ષ એટલે ઓકિસજનનું નિ:શુલ્ક કારખાનું
    • ટ્રમ્પ પુતિનની ઐતિહાસિક મેગા મીટિંગ – અલાસ્કામાં કોઈ ડીલ થઈ નહીં
    • તંત્રી લેખ…ભારત અને અમેરિકાનો વેપાર સોદો અનિશ્ચિત છે
    • પીરિયડ્‌સમાં હોઉં ત્યારે પણ હું મંદિરમાં જાઉં છું :Kangana
    • ‘મજબૂત મહિલાઓ એકબીજાને ઉપર ઉઠાવે છે’:Bipasha Basu
    • Shah Rukh Khan ની ‘કિંગ’ ૨૦૨૭ પહેલાં રિલીઝ થવાની શક્યતા નહિવત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Navratri નો તહેવાર મંદિર નજીકના દુકાનદારો માટે સંજીવની બન્યો છે
    સુરત

    Navratri નો તહેવાર મંદિર નજીકના દુકાનદારો માટે સંજીવની બન્યો છે

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બેથી અઢી મહિનામાં જેટલી પૂજાની સામગ્રીનું વેચાણ થાય છે તે આ નવ દિવસમાં જ થઈ જતા વેપારીઓ ખુશ

    Surat, તા.૭

    સુરતમાં ૩જી ઓક્ટોબરથી શરુ થયેલો નવરાત્રીનો તહેવાર મંદિરની આસપાસના વેપારીઓ માટે સંજીવની સાબિત થઈ રહ્યો છે. નવરાત્રી દરમિયાન સુરતીઓ વધુ ધાર્મિક બને છે અને માતાજીની આરાધના કરે છે તેના કારણે મંદિરની આસપાસના વેપારીઓની મંદી ઓછી થઈ આવક વધી રહી છે. બેથી અઢી મહિનામાં જેટલી પૂજાની સામગ્રીનું વેચાણ થાય છે તે આ નવ દિવસમાં જ થઈ જતું હોવાથી વેપારીઓ ખુશ થઈ રહ્યાં છે.

    શ્રાવણ મહિના સાથે જ શરુ થતાં હિન્દુઓના તહેવારો ભારતના અર્થતંત્રને જીવંત રાખવા માટેનું પ્રતીક બની રહ્યાં છે. શ્રાવણ માસથી હિન્દુઓના તહેવારો શરૂ થતાં જ લોકોમાં ધાર્મિક વૃત્તિ વધે છે તેથી શ્રાવણ માસ થી દિવાળી સુધીના તહેવાર વેપારીઓ માટે આર્શિવાદ સમાન સાબિત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી માર્કેટમાં મંદીની બુમ સાંભળવા મળતી હતી, પરંતુ શ્રાવણ માસની શરૂઆત સાથે જ ધીમે-ધીમે મંદીનો માહોલ ઓછો થઈ રહ્યો છે. તેમાં પણ મંદિર કે ધાર્મિકતા સાથે સંકળાયેલા વેપારમાં આ દિવસોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

    નવરાત્રી પહેલા દિવડા અને માતાજીની માટલી ( ગરબી) બનાવતા નાના વેપારીઓના ધંધા માં પ્રાણ ફુંકાયા હતા અને તેમને રોજીરોટી મેળવી હતી.   ઉપરાંત હાલ શરૂ થયેલી નવરાત્રી  માતાજીના મંદિરની આસપાસ ના વેપારીઓ માટે રાહતના સમાચાર લાવી છે. પહેલા નવરાત્રી થી જ માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી રહી છે. માતાજીના દર્શન માટે જતાં ભક્તો માતાજીની પૂજા  માટે શ્રીફળ ફુલ, હાર, કંકુ પ્રસાદ અને માતાજીના શણગાર લઈને મંદિરે જાય છે. નવરાત્રી દરમિયાન માતાજી ના મંદિરે આવનારા ભક્તોની ભીડ વધુ હોય છે તેથી મંદિર નજીકના દુકાનદારોને સારો એવો વકરો થઈ રહ્યો છે. શહેરમાં માતાજીના મંદિરની નજીક ફુલ- પ્રસાદી અને ચુંડળીનું વેચાણ કરતા વેપારી કહે છે, શ્રાવણ મહિના પહેલાં અમારા ધંધામાં કોઈ ખાસ ઘરાકી રહેતી નથી રવિવારે જાહેર રજાના દિવસે મંદિરોમાં ભક્તો આવતા હોય છે. પરંતુ  હાલ નવરાત્રી શરૂ થઈ છે ત્યારથી સુરતમાં માતાજીના મંદિરમાં ભક્તોનો મેળો જામતો હોય તેવો માહોલ છે.

    સુરતમાં મંદિરની નજીક પ્રસાદી, પેંડા કે શણગાર સાથે અન્ય વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ કહે છે બેથી અઢી મહિનામાં જેટલું વેચાણ થતું હોય તેટલું વેચાણ આ નવ દિવસમાં થઈ જાય છે તેથી મંદી માં ફસાયેલા નાના વેપારીઓ માટે આ તહેવાર  માતાજી ના આર્શીવાદ થી ઓછો નથી કહેવાતો.

    આ ઉપરાંત આ નવરાત્રી દરમિયાન માતાજી ના ફોટા, તાંબા પિત્તળના વાસણો અને ચુંદડી અને સાડીનું પણ વેચાણ વધી જાય છે. આમ માતાજીના મંદિરની આસપાસ જે લોકો ધાર્મિક વસ્તુ નો ધંધો કરે છે તેઓને પણ સારો ધંધો થઈ રહ્યો છે. માતાજીને ચઢાવવા માટે બંગડી-સાડી સહિત નો શણગાર સામાનનું વેચાણ પણ વધી રહ્યું છે. આમ માતાજીના મંદિરની આસપાસ ના વેપારીઓ માટે નવરાત્રી શુકનિયાળ બની જાય છે તેમની આ ઘરાકી દિવાળી સુધી રહેતી હોવાથી નાના ધંધાને જીવતદાન મળી રહ્યું છે.

     

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: આંગડિયા પેઢી દ્વારા આરટીજીએસના બહાને ૫૧ લાખની છેતરપિંડી કરાઇ

    August 14, 2025
    સુરત

    Surat: નાસ્તાના ખર્ચને લઈને મામા-ફોઈના ભાઈઓ વચ્ચે ખેલાયો લોહિયાળ ખેલ

    August 12, 2025
    ગુજરાત

    Gujarat ભરની જેલોમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી

    August 9, 2025
    સુરત

    Surat માં રિક્ષાની આડમાં લૂંટની ઘટનાઓ, સાતીર ગેંગ પોલીસના સકંજામાં

    August 8, 2025
    સુરત

    Surat માં નકલી મસાલાનો કારસો, એવરેસ્ટ અને મેગી સામે કોર્ટમાં કેસ

    August 6, 2025
    સુરત

    Sumul Dairy માં શાંત થવાનું નામ લેતો નથી વિવાદઃ ચાર ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા

    August 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો આધ્યાત્મિક અર્થ..

    August 18, 2025

    મંગળવારે અજા એકાદશી નુ મહત્વ

    August 18, 2025

    વૃક્ષ એટલે ઓકિસજનનું નિ:શુલ્ક કારખાનું

    August 18, 2025

    ટ્રમ્પ પુતિનની ઐતિહાસિક મેગા મીટિંગ – અલાસ્કામાં કોઈ ડીલ થઈ નહીં

    August 18, 2025

    તંત્રી લેખ…ભારત અને અમેરિકાનો વેપાર સોદો અનિશ્ચિત છે

    August 18, 2025

    પીરિયડ્‌સમાં હોઉં ત્યારે પણ હું મંદિરમાં જાઉં છું :Kangana

    August 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો આધ્યાત્મિક અર્થ..

    August 18, 2025

    મંગળવારે અજા એકાદશી નુ મહત્વ

    August 18, 2025

    વૃક્ષ એટલે ઓકિસજનનું નિ:શુલ્ક કારખાનું

    August 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.