નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટક ભરેલી ટ્રક લૂંટી લીધી છે : આ ઘટના બાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ
Odisha, તા.૨૮
ઓડિશાના રાઉરકેલામાં નક્સલીઓએ ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાને પડકારી છે. નક્સલીઓએ વિસ્ફોટકથી ભરેલી ટ્રક લૂંટી લીધી છે. નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટક ભરેલી ટ્રક લૂંટી લીધી છે. આ ઘટના બાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ પર છે.
આ ટ્રક રાઉરકેલાના કેબલાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાંકો પથ્થરની ખાણ તરફ જઈ રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નક્સલીઓએ ટ્રકને રોકીને તેના ડ્રાઈવરને બંધક બનાવી લીધો અને ટ્રકને બળજબરીથી સારંડાના ગાઢ જંગલ તરફ લઈ ગયા. ઘટના બાદથી ઝારખંડ અને ઓડિશા પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે.
તમને જણાવી દઈએ કે, નક્સલવાદ ભારતના અનેક રાજ્યોમાં એક ગંભીર પડકાર બની ગયો છે. જેમાં ખાસ કરીને છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના કેટલાક હિસ્સા સામેલ છે. તાજેતરના વર્ષોમાં સુરક્ષા દળોએ નક્સલીઓ વિરુદ્ધ ઘણા સફળ ઓપરેશન ચલાવ્યા છે, જેમાં કેટલાક મોટા નક્સલી કમાંડરોને ઠાર કરી દેવામાં આવ્યા છે અને કેટલાકે આત્મસમર્પણ કરી લીધું છે.
તાજેતરમાં ૨૧ મે ૨૦૨૫ના રોજ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં થયેલા એક મોટા એન્કાઉન્ટરમાં નક્સલી સંગઠન ભાકપા (માઓવાદી)ના મહાસચિવ નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજને ઠાર કરી દેવામાં આવ્યો હતો, જેના પર કુલ ૧૦ કરોડ રૂપિયાનું ઈનામ હતું. જોકે, માડવી હિડમા જેવા અન્ય ઘણા ખૂંખાર નક્સલીઓ હજુ પણ ફરાર છે અને સુરક્ષા દળો માટે એક મોટો પડકાર છે. છત્તીસગઢમાં ૨૦૨૫માં નક્સલીઓ સામે ઘણા મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. ૨૧ મે ૨૦૨૫ના રોજ નારાયણપુરમાં થયેલા એન્કાઉન્ટરમાં ૨૭ નક્સલીઓ માર્યા ગયા હતા, જેમાં બસવરાજ જેવા મોટા નામ સામેલ હતા. બીજાપુર અને કાંકેરમાં ૧૧૩ નક્સલીઓ માર્યા ગયા હતા, ૧૦૪ની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૬૪એ આત્મસમર્પણ કરી લીધુ હતું.
ઝારખંડમાં ૨૦૨૧થી ૨૦૨૫ સુધી ૧૪૯૦ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી હતી. સારંડાના જંગલોમાં નક્સલીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો લક્ષ્ય ૨૦૨૬ સુધીમાં નક્સલવાદનો સંપૂર્ણ ખાતમો છે.
માડવી હિડમા નક્સલીઓનો પ્રમુખ કમાન્ડર છે જેના પર ૪૫ લાખ રૂપિયાથી ૧ કરોડ રૂપિયા સુધીનું ઈનામ છે. તેના સિવાય ઝારખંડમાં અસીમ મંડલ, પતિરામ માંઝી અને મિસીર બેસરા જેવા નક્સલીઓ પર ૧ કરોડ રૂપિયાનું ઈનામ છે, જ્યારે સુજાતા અને અન્ય કમાન્ડરો પર ૨૫ લાખ રૂપિયાથી ૨ લાખ રૂપિયાનું ઈનામ છે. સુરક્ષા દળોએ નક્સલવાદ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે, અને ૨૦૨૬ સુધીમાં નક્સલવાદના ખાતમાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જોકે, હિડમા જેવા નક્સલીઓની ગુપ્ત ગતિવિધિઓ અને જંગલોમાં તેમની હાજરી હજુ પણ એક મોટો પડકાર છે.