New Delhi,તા.11
સંજય મલ્હોત્રા આગામી ત્રણ વર્ષ માટે આરબીઆઈના ગવર્નર રહેશે. મલ્હોત્રાને ટેક્સેશન અને ફાઇનાન્સમાં નિષ્ણાત માનવામાં આવે છે. પરંતુ તેનાં માથા પર કાંટાળો તાજ હશે કારણ કે છૂટક ફુગાવો આસમાને છે અને અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે.
સંજય મલ્હોત્રા એવાં સમયે ગવર્નરની જવાબદારી સંભાળવા જઈ રહ્યાં છે જ્યારે આરબીઆઈ સમક્ષ પ્રશ્ર્ન ઉભો થયો છે કે શું તેણે ફુગાવા પર વધુ ધ્યાન આપવું જોઈએ કે સુસ્ત અર્થવ્યવસ્થાને પુનજીર્વિત કરવા માટે વ્યાજદરમાં ઘટાડો કરવો જોઈએ. છેલ્લાં એક મહિના દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વ્યાજ દરમાં ઘટાડો કરવાની માંગ કરી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતની સર્વોચ્ચ બેંકિંગ ઓથોરિટી છે. બ્રિટિશ વસાહતી સરકાર દ્વારા 1935 માં તેની સ્થાપના થઈ ત્યારથી ઘણાં લોકોએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરનું પદ સંભાળ્યું છે. ભારતીય બ્રિટિશ રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતાં, જ્યારે સી.ડી. દેશમુખ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રથમ ભારતીય ગવર્નર હતાં.
ભારતીય રિઝર્વ બેંકના તમામ ગવર્નરોની યાદી
1. સર ઓસ્બોર્ન સ્મિથ
1 એપ્રિલ, 1935 થી 30 જૂન, 1937 સુધી
2. સર જેમ્સ બ્રેડ ટેલર
1 જુલાઈ 1937 થી 17 ફેબ્રુઆરી 1943 સુધી
3. સર સી.ડી. દેશમુખ
11 ઓગસ્ટ 1943 થી 30 જૂન 1949 સુધી
4 .સર બેનેગલ રામારાવ
1 જુલાઈ 1949 થી 14 જાન્યુઆરી 1957 સુધી
5. કે.જી . અંબેગાંવકર
14 જાન્યુઆરી 1957 થી 28 ફેબ્રુઆરી 1957 સુધી
6 .એચ.વી.આર. લેયંગર
1 માર્ચ, 1957 થી 28 ફેબ્રુઆરી 1962 સુધી
7. પી.સી. ભટ્ટાચાર્ય
1 માર્ચ, 1962 થી 30 જૂન, 1967
8. એલ કે. ઝા
1 જુલાઈ 1967 થી 3 મે 1970 સુધી
9. બી. એન. અદારકર
4 મે 1970 થી 15 જૂન 1970 સુધી
10. એસ. જગન્નાથન
16 જૂન 1970 થી 19 મે 1975 સુધી
11. એન. સી. સેન ગુપ્તા
19 મે 1975 થી 19 ઓગસ્ટ 1975 સુધી
12. ના. આર. પુરી
20 ઓગસ્ટ 1975 થી 2 મે 1977 સુધી
13. એમ. નરસિમ્હન
3 મે 1977 થી 30 નવેમ્બર 1977 સુધી
14. આઈજી પટેલ
1 ડિસેમ્બર 1977 થી 15 સપ્ટેમ્બર 1982 સુધી
15. મનમોહન સિંહ
16 સપ્ટેમ્બર 1982 થી 14 જાન્યુઆરી 1985 સુધી
16. અમિતાવ ઘોષ
15 જાન્યુઆરી 1985 થી 4 ફેબ્રુઆરી 1985 સુધી
17 . આર. એન. મલ્હોત્રા
4 ફેબ્રુઆરી 1985 થી 22 ડિસેમ્બર 1990 સુધી
1990 પછીથી અત્યાર સુધીનાં ગવર્નરોની યાદી :-
18. એસ. વેંકટરામન
22 ડિસેમ્બર 1990 થી 21 ડિસેમ્બર 1992 સુધી
તેમણે 1991 બીપીઓ કટોકટીનું સંચાલન કર્યું હતું અને ભારતનાં આઇએમએફ સ્ટેબિલાઇઝેશન પ્રોગ્રામને સરળ બનાવ્યું હતું
19. સી. રંગરાજન
22 ડિસેમ્બર 1992 થી 21 નવેમ્બર 1997 સુધી
તેમણે એકીકૃત વિનિમય દર પ્રણાલીની સ્થાપના કરી હતી અને સ્વચાલિત સરકારી ધિરાણને મર્યાદિત કર્યું હતું.
20. બિમલ જાલન
22 નવેમ્બર 1997 થી 6 સપ્ટેમ્બર 2003
તેમણે એશિયન નાણાકીય કટોકટી અને ઉન્નત નાણાકીય નીતિ પારદર્શિતા માટે માર્ગદર્શન આપ્યું હતું
21. વાય.વી. રેડ્ડી
6 સપ્ટેમ્બર 2003 થી 5 સપ્ટેમ્બર 2008 સુધી
તેમણે મજબૂત બેંકિંગ સુધારા કર્યા અને, વેપાર ફાઇનાન્સ તેમજ બાહ્ય ઉધાર પ્રણાલી આપનાવી હતી.
22. ડી. સુબ્બારાવ
5 સપ્ટેમ્બર 2008 થી 4 સપ્ટેમ્બર 2013 સુધી
તેમણે વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન ચાર્જ સંભાળ્યો અને સમાવેશી આર્થિક નીતિઓ લાગું કરી હતી.
23. રઘુરામ રાજન
4 સપ્ટેમ્બર 2013 થી 4 સપ્ટેમ્બર 2016 સુધી
તેમણે ફુગાવો ઘટાડવા, નાણાકીય બજારોને વધુ મજબૂત કરવા અને બચત વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું
24. ઉર્જિત પટેલ
4 સપ્ટેમ્બર 2016 થી 11 ડિસેમ્બર 2018 સુધી
તેમણે નાણાકીય નીતિ સુધારા અને બેંક ક્લીન-અપ્સ હાથ ધર્યા હતાં અને નોટબંધીનું નિરીક્ષણ કર્યું હતું.
25. શક્તિકાંત દાસ
12 ડિસેમ્બર 2018 થી 10 ડિસેમ્બર 2024 સુધી
તેમણે સંચાલિત એનબીએફસી પતન, કોવિડ અને યુક્રેન યુદ્ધ જેવા પડકારોનો સામનો કર્યો છે.