New Delhi,તા.28
પહેલગામ આતંકી હુમલાની તપાસમાં એનઆરઆઈએને અનેક મહત્વની કડી હાથ લાગી છે. એનઆઈએ નજરે જોનારા લોકોની પુછપરછ કરીને પુરાવાઓ એકત્ર કરી રહી છે. મુખ્ય સાક્ષી બહાર આવ્યો: સુત્રોના જણાવ્યા મુજબ આતંકી હુમલાનો મુખ્ય સાથી બહાર આવ્યો છે.જે એક સ્થાનિક ફોટોગ્રાફર છે.
આતંકી હુમલા સમયે તે પોતાનો જીવ બચાવવા એક વૃક્ષ પર ચડી ગયો હતો અને પુરા હુમલાનું રેકોર્ડીંગ કરી રહ્યો છે. પહેલા બે આતંકી બહાર આવ્યા: રેકોર્ડીંગ મુજબ શરૂઆતમાં બે આતંકીઓ દુકાનોની પાછળથી છુપાયેલા હતા. આ આતંકીઓ પહેલા બહાર આવ્યા અને આ આતંકીઓએ લોકોને કલમા પઢવાનું કહ્યું, બાદમાં ચાર લોકોને ગોળી મારી દીધી હતી.
જેથી તેમના ઘટનાસ્થળે જ મોત થયા હતા. રેકોર્ડીંગનું માનીએ તો આ દરમિયાન અન્ય આતંકવાદીઓએ જિપલાઈનની પાસેથી ગોળીબારી શરૂ કરી દીધી હતી. બેસરન ખીણ બહાર પણ બે લોકોને નિશાન બનાવાયા: તપાસમાં બહાર આવ્યું છે કે બેસરન ખીણની બહાર બે લોકોની હત્યા કરવામાં આવી હતી.
જયારે અન્ય આતંકવાદીઓએ જે અલગ ટીમમાં કામ કરી રહ્યા હતા, તેમણે ખીણની અંદર જ પીડિતોને નિશાન બનાવ્યા હતા. સાક્ષીઓના નિવેદનના આધારે તપાસકર્તાઓને પાંચથી વધુ હુમલાખોરોની હાજરીની શંકા છે.
સ્થાનિક એજીડબલ્યુએ કરી આતંકીઓની મદદ: એક નેપાળી પરિવારે તપાસકર્તાઓને જણાવ્યુ કે એક આતંકવાદી તેની પાસે એક વૃક્ષ નજીક આવ્યો હતો. તેમની ઓળખ પછી અને પછી પરિવારના એક વ્યક્તિની હત્યા કરી દીધી હતી.
પરિવારે જણાવ્યું હતું કે, આ ઘટના ત્યારે બની જયારે મુખ્ય પર્યટક ક્ષેત્રથી ગોળીઓના અવાજ આવતા હતા. તેમના દાવા મુજબ ત્યાં મોટી સંખ્યામાં આતંકવાદી હાજર હતા.
ઘટનાસ્થળથી સિકયુરીટી બેઝનું અંતર 25 મીનીટ છે પરંતુ માનવામાં આવે છે કે અહીં ઉચીત પાયાના માળખાની કમીના કારણે સુરક્ષા પ્રતિક્રિયામાં મોડું થયું હશે.