Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli બાબરાનાં ફુલઝર ગામના ધિંગાણાનાં સુરત સુધી પ્રત્યાઘાતો

    November 10, 2025

    Amreli જિલ્લામાંથી સુરત-મુંબઈ જતી ટ્રેનો હાઉસફૂલ

    November 10, 2025

    India-Saudi Arabia વચ્ચે હજ સમજુતી પર હસ્તાક્ષર : 2026 માટે કોટા 1,75,025 ફાઈનલ

    November 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli બાબરાનાં ફુલઝર ગામના ધિંગાણાનાં સુરત સુધી પ્રત્યાઘાતો
    • Amreli જિલ્લામાંથી સુરત-મુંબઈ જતી ટ્રેનો હાઉસફૂલ
    • India-Saudi Arabia વચ્ચે હજ સમજુતી પર હસ્તાક્ષર : 2026 માટે કોટા 1,75,025 ફાઈનલ
    • RTI અરજદારો પર લગામ કસવામાં આવશે : વર્ષમાં માત્ર 12 અરજી કરી શકશે
    • ટ્રાફિક સંચાલન મજબુત બનાવવા માટે AI – Robotic સર્વેલન્સનો ઉપયોગ થશે
    • Ahmedabad: બાળકોના હિતમાં ઉદાસિનતા મુદ્દે સરકારને High Court ની ફટકાર
    • Ahmedabad: CM ના હસ્તે વકીલોને નોટરી પ્રમાણપત્ર એનાયત થશે
    • Gujarat માં દર કલાકે 21, રોજ 521 સાઈબર ફ્રોડ : 1011 કરોડ ગુમાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»North Korea એ પ્રવાસીઓ માટે દેશના દરવાજા ખોલ્યા
    આંતરરાષ્ટ્રીય

    North Korea એ પ્રવાસીઓ માટે દેશના દરવાજા ખોલ્યા

    Vikram RavalBy Vikram RavalMarch 1, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઉત્તર કોરિયામાં કિમ જોંગ-ઉનનું એકહથ્થુ શાસન છે. કોવિડ 19ની શરૂઆત થયેલી ત્યારે ઉત્તર કોરિયામાં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો, જે હજુ હમણાં સુધી ચાલુ હતો. હવે, રહી રહીને ઉત્તર કોરિયાએ વિદેશી પ્રવાસીઓને એમને ત્યાં આવવાનો માર્ગ ખુલ્લો કર્યો છે. જોકે, પ્રવાસીઓએ ઉત્તર કોરિયાની મુલાકાત દરમિયાન અમુક શરતોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. એમાં ચૂક થઈ તો સજા ભોગવવાની તૈયારી રાખવી પડશે. સજામાં જેલવાસ પણ મળી શકે અને મોત પણ..! તેથીસ્તો દુનિયાના અઠંગ પ્રવાસશોખીનો પણ ઉત્તર કોરિયા જવાનું ટાળે છે.

    ઉત્તર કોરિયાના અમૈત્રીપૂર્ણ વ્યવહારને કારણે વિશ્વના મોટાભાગના દેશોએ એની સાથેના સંબંધો તોડી નાંખ્યા છે. ઉત્તર કોરિયાની આક્રમક નીતિને કારણે તેના પર ઘણા વ્યાપારી અને રાજદ્વારી પ્રતિબંધો લગાવાયા છે. ‘સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ’ અને ‘યુરોપિયન યુનિયન’ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને લીધે ઉત્તર કોરિયાની માઠી દશા બેઠી છે, જેને લીધે હવે એના વલણમાં નરમાશ જોવા મળી રહી છે. એની સાબિતી છે, વિદેશી પ્રવાસીઓને કરાયેલું ‘વેલ કમ’.વૈશ્વિક પ્રતિબંધોના કારણે ઉત્તર કોરિયાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. કોવિડ મહામારીએ પડ્યા પર પાટું માર્યા જેવો ખેલ કર્યો છે. ઉત્તર કોરિયામાં સગવડ જેવું કંઈ ખાસ રહ્યું નથી. સમગ્ર દેશમાં તબીબી સુવિધાઓ ખૂબ નબળી છે. રાજધાની પ્યોંગયાંગમાં પણ સારી હોસ્પિટલો નથી, તો નાના નગરો અને ગામડાંઓમાં તો કેવી હાલત હશે! અંદરની વાત દેશની સરહદના સીમાડા ઓળંગીને બહાર ન જાય એનું પાકું ધ્યાન ઉત્તર કોરિયા રાખે છે, છતાં વાત પાકે પાયે બહાર આવી જ ગઈ છે કે ત્યાં હાલમાં ભૂખમરાની સ્થિતિ છે. લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના પણ ફાંફા હોવાથી અપરાધનું પ્રમાણ વધી ગયું છે.

    ઉત્તર કોરિયા ફરવા જનારા પ્રવાસીઓએ ઘણા પ્રતિબંધોનો સામનો કરવો પડશે. જેમ કે, 

    • પ્રવાસીઓ સ્થાનિક માર્ગદર્શક વિના ક્યાંય ફરી શકશે નહીં.
    • તેઓ દેશમાં માત્ર નિર્ધારિત સ્થળોએ જ ફરી શકે છે.
    • મોટાભાગના સ્થળોએ ફોટોગ્રાફી પ્રતિબંધિત રહેશે.
    • સીસીટીવી કેમેરા અને સ્થાનિક લોકો પ્રવાસીઓ પર હંમેશાં નજર રાખશે.
    • કોઈપણ પ્રકારની ધાર્મિક કે રાજકીય સામગ્રી લઈને જઈ શકાશે નહીં.

    જે વ્યક્તિ ઉપરની શરતો સ્વીકારવા તૈયાર હોય તે જ ઉત્તર કોરિયામાં સલામત રહી શકશે.

    તમે ઉત્તર કોરિયામાં હોવ ત્યારે બહારની દુનિયામાં શું બની રહ્યું છે, એ જાણવું મુશ્કેલ બની જાય છે, કેમ કે આપણા ટીવીમાં આવે છે એવી કોઈ વિદેશી ચેનલો ત્યાંના ટીવીમાં આવતી નથી. હા, ફાઈવસ્ટાર હોટલોમાં અમુક ઈન્ટરનેશનલ ન્યૂઝ ચેનલો ઉપલબ્ધ હોય છે ખરી, પરંતુ તેનું પ્રસારણ પણ પ્રશાસનના આદેશ પર ગમે ત્યારે બંધ કરી દેવાય છે.

    ઘણા પ્રવાસીઓ ઉત્તર કોરિયાના બધા નિયમોથી વાકેફ ન હોવાને કારણે ત્યાં ફસાઈ જાય છે. ઉત્તર કોરિયા જનાર પ્રવાસીને કોઈપણ પ્રકારની ધાર્મિક અથવા રાજકીય સામગ્રી લઈ જવાની મંજૂરી નથી હોતી, કેમ કે કોરિયાની સરકાર આવી સામગ્રીને પોતાની વિરુદ્ધનો પ્રચાર ગણે છે. કિમ જોંગ અથવા તેના પરિવારના કોઈપણ સભ્યની મજાક ઉડાવવી એ પણ ગંભીર અપરાધની શ્રેણીમાં આવે છે. ઉત્તર કોરિયામાં ફરતી વખતે દરેક સ્થળે ફોટા લઈ શકાતા નથી. આમ કરવું એ પણ જાસૂસી ગણાઈ જાય છે, અને એની સજા ખૂબ જ આકરી હોય છે.

    ધારો કે ભારતની કોઈ વ્યક્તિ ઉત્તર કોરિયાના પ્રવાસે ગઈ છે અને બરાબર એ જ સમયે ભારત અને ઉત્તર કોરિયા વચ્ચે કોઈક કારણસર યુદ્ધ છેડાઈ જાય છે તો ઉત્તર કોરિયાની સરકાર અને પોલીસ ભારતના પ્રવાસીની તરત ધરપકડ કરી લેશે, એમ વિચારીને કે તે ભારતનો જાસૂસ છે. આવી સ્થિતિ હોય, એવા દેશમાં કોણ ફરવા જાય?

    ઉત્તર કોરિયામાં નિયમભંગની સજા આકરી હોય છે. અમુક વાર તો નિર્દોષો પણ અમસ્તા જ ત્યાંના અઘરા નિયમોનો ભોગ બની જાય છે. એક ઉદાહરણ જોઈએ અમેરિકન પ્રવાસીનું.

    વર્ષ 2015માં ઓટ્ટો વોર્મબિયર નામનો યુનિવર્સિટીનો અમેરિકન વિદ્યાર્થી ઉત્તર કોરિયા ફરવા માટે ગયો હતો. પરત ફરતી વખતે તેને પ્યોંગયાંગ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યો. તેના પર રાજકીય સૂત્રો લખેલું પોસ્ટર ચોરવાનો આરોપ લગાવાયો. ફક્ત ત્રણ જ મહિનાની અંદર ઉત્તર કોરિયાની સર્વોચ્ચ અદાલતે ઓટ્ટો વોર્મબિયરને 15 વર્ષની જેલની સજા સંભળાવી દીધી, એમ કહીને કે એ યુવકે અમેરિકન સરકારના કહેવાથી પેલું પોસ્ટર ચોર્યું હતું. આ કામ ઉત્તર કોરિયા વિરુદ્ધનું ષડયંત્ર હતું.

    અમેરિકાએ ઉત્તર કોરિયાના આરોપ ખોટા ગણાવીને પેલા યુવકની મુક્તિની માંગ કરી, પણ ઉત્તર કોરિયાએ અમેરિકાને કોઈ જવાબ આપવાની તસ્દી પણ ન લીધી. વર્ષ 2017 માં અચાનક કોરિયન સરકારે જાહેરાત કરી કે વોર્મબિયરને માનવતાના આધારે મુક્ત કરવામાં આવી રહ્યો છે. વોર્મબિયરને અમેરિકા મોકલાયો તો ખરો, પણ કોમાની અવસ્થામાં! અમેરિકાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તે લાંબા સમયથી કોમામાં જ હતો. ઉત્તર કોરિયાએ એની સ્થિતિ વિશેની હકીકત છુપાવી હતી. જ્યારે લાગ્યું કે તે હવે વધારે જીવવાનો નથી ત્યારે માનવતાનું કારણ આગળ ધરીને તેને અમેરિકા મોકલી દીધો હતો. વોર્મબિયરના શરીરની તપાસ કરનાર અમેરિકન ડૉક્ટરોએ દાવો કર્યો હતો કે, વોર્મબિયરને ખૂબ ખરાબ રીતે મારવામાં આવ્યો હતો, જેના કારણે તેના મગજને ગંભીર ઈજા થતાં એ કોમામાં સરી ગયો હતો. અમેરિકા પહોંચ્યાના થોડા દિવસોમાં જ વોર્મબિયરનું અવસાન થઈ ગયું હતું.

    એ સમયે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ હતા. ઓટ્ટો વોર્મબિયરના મોતનો બદલો લેવો હોય એમ ટ્રમ્પે ઉત્તર કોરિયા પર જાતજાતના પ્રતિબંધો લાદી દીધા. અમેરિકનોને ઉત્તર કોરિયાના પ્રવાસે જવાની ના પડાઈ. એમ કહેવામાં આવ્યું કે ઉત્તર કોરિયા એક એવો દેશ છે જ્યાં તમે જશો તો ફસાઈ જવાનો ખતરો છે. આજે પણ એ એડવાઈઝરી જારી જ છે.

    કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દુનિયાના મોટાભાગના વિકસિત દેશોએ તેમની ટ્રાવેલ એડવાઈઝરીમાં ઉત્તર કોરિયાની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. ઉત્તર કોરિયામાં પ્રવાસીઓ પર પોલીસની બાજનજર રહે છે. ત્યાં ગમે ત્યારે મિસાઈલ પરિક્ષણ થતું રહે છે અને મનફાવે ત્યારે નવા-નવા નિયમો જનતાને માથે ઠોકી બેસાડાય છે.

    ઉત્તર કોરિયા ફરવા જવાના જોખમો વિશે આટલું વાંચ્યા પછી પણ જો તમારે ત્યાં ફરવા જવું જ હોય તો વિઝા અને પાસપોર્ટને લગતા નિયમો પણ જાણી લો.

    • તમે પોતે ઉત્તર કોરિયાના વિઝા માટે અરજી કરી શકતા નથી,એ માટે તમારે ટ્રાવેલ એજન્સીની મદદ લેવી પડશે. એજન્સી દ્વારા જ તમે ઉત્તર કોરિયા જવાનો પરવાનો મેળવી શકશો.
    • જો તમને ઉત્તર કોરિયાના વિઝા મળશે, તો પણ તે પાસપોર્ટ પર છપાશે નહીં. તમને વિઝાનો એક અલગ કાગળ મળશે.
    • તમારા વિઝા પર એ પણ લખેલું હશે કે તમારે કયે રસ્તે થઈને ઉત્તર કોરિયામાં પ્રવેશવાનું છે. પ્રવાસી મનફાવે એ શહેરમાં ઉતરીને ઉત્તર કોરિયા ફરી નથી શકતો.
    • અગાઉ જણાવ્યું તેમ ઉત્તર કોરિયામાં તમે એકલા ફરી નહીં શકો. તમારે સ્થાનિક ગાઈડ ભાડે કરીને એની સાથે જ ફરવું પડે છે. એટલું જ નહીં, તમારો પાસપોર્ટ પણ તમારે તમારા ગાઈડને આપી દેવો પડશે. તમે ઉત્તર કોરિયા છોડશો ત્યારે જ તમને પાસપોર્ટ પરત કરવામાં આવશે.

    રશિયા અને ચીન દાયકાઓથી ઉત્તર કોરિયાના સાથી રહ્યા છે, તેથી સ્વાભાવિક છે કે એ બે દેશના જ સૌથી વધુ પ્રવાસીઓ ઉત્તર કોરિયાની મુલાકાત લે છે. ઉત્તર કોરિયાની સરકારી વેબસાઈટ પર જણાવવામાં આવ્યું હતું કે ગયા વર્ષે આઠસોથી વધુ રશિયન પ્રવાસીઓ ઉત્તર કોરિયા આવ્યા હતા. આઠસો પ્રવાસીઓ એટલે સાવ નગણ્ય ગણાય! તોય ઉત્તર કોરિયાના નિયમોને ધ્યાનમાં લેતાં તો બહુ કહેવાય.

     

    North-Korea tourists
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    India-Saudi Arabia વચ્ચે હજ સમજુતી પર હસ્તાક્ષર : 2026 માટે કોટા 1,75,025 ફાઈનલ

    November 10, 2025
    ગુજરાત

    RTI અરજદારો પર લગામ કસવામાં આવશે : વર્ષમાં માત્ર 12 અરજી કરી શકશે

    November 10, 2025
    ગુજરાત

    ટ્રાફિક સંચાલન મજબુત બનાવવા માટે AI – Robotic સર્વેલન્સનો ઉપયોગ થશે

    November 10, 2025
    ગુજરાત

    Ahmedabad: બાળકોના હિતમાં ઉદાસિનતા મુદ્દે સરકારને High Court ની ફટકાર

    November 10, 2025
    અમદાવાદ

    Ahmedabad: CM ના હસ્તે વકીલોને નોટરી પ્રમાણપત્ર એનાયત થશે

    November 10, 2025
    ગુજરાત

    Gujarat માં દર કલાકે 21, રોજ 521 સાઈબર ફ્રોડ : 1011 કરોડ ગુમાવ્યા

    November 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli બાબરાનાં ફુલઝર ગામના ધિંગાણાનાં સુરત સુધી પ્રત્યાઘાતો

    November 10, 2025

    Amreli જિલ્લામાંથી સુરત-મુંબઈ જતી ટ્રેનો હાઉસફૂલ

    November 10, 2025

    India-Saudi Arabia વચ્ચે હજ સમજુતી પર હસ્તાક્ષર : 2026 માટે કોટા 1,75,025 ફાઈનલ

    November 10, 2025

    RTI અરજદારો પર લગામ કસવામાં આવશે : વર્ષમાં માત્ર 12 અરજી કરી શકશે

    November 10, 2025

    ટ્રાફિક સંચાલન મજબુત બનાવવા માટે AI – Robotic સર્વેલન્સનો ઉપયોગ થશે

    November 10, 2025

    Ahmedabad: બાળકોના હિતમાં ઉદાસિનતા મુદ્દે સરકારને High Court ની ફટકાર

    November 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli બાબરાનાં ફુલઝર ગામના ધિંગાણાનાં સુરત સુધી પ્રત્યાઘાતો

    November 10, 2025

    Amreli જિલ્લામાંથી સુરત-મુંબઈ જતી ટ્રેનો હાઉસફૂલ

    November 10, 2025

    India-Saudi Arabia વચ્ચે હજ સમજુતી પર હસ્તાક્ષર : 2026 માટે કોટા 1,75,025 ફાઈનલ

    November 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.