Morbi, તા.20
માળીયા-પીપળીયા-જામનગર સ્ટેટ હાઇવે ઉપર માળીયા થી મોરબી-કચ્છ હાઇવે તરફ રેલવેની ફાટકની પાસે આવેલ બ્રિજ પરના રસ્તા ઉપરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો. મોરબીમાં માળીયા પીપળીયા જામનગર સ્ટેટ હાઇવે પર 0/400 જે માળીયા થી મોરબી કચ્છ હાઇવે તરફ રેલવે ફાટકની પાસે આવેલ છે.
તે બ્રિજ પર ભારે ટ્રક કે અન્ય ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું કે રદ કરવામાં આવ્યું છે. વધુમાં માળીયા શાખા નહેર નર્મદા કેનાલના SHRB પુલની સાંકળ 136.775 કિલોમીટર પર આવેલ સ્ટેટ હાઇવેના ક્રોસિંગ પૂલ કે,જે માળીયા-પીપળીયા-જામનગર સ્ટેટ હાઇવે ઉપર 0/400 સાંકળ કે જે માળીયા થી મોરબી-કચ્છ હાઇવે તરફ રેલવેની ફાટકની પાસે આવેલ બ્રિજ પરના રસ્તા પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અન્વયે વૈકલ્પિક રસ્તા તરીકે માળીયા-પીપળીયા-જામનગર સ્ટેટ હાઇવે ઉપર 0/400 સાંકળ કે જે માળીયાથી મોરબી-કચ્છ હાઇવે તરફ રેલવેની ફાટકની પાસે આવેલ બ્રિજ પાસે સરદાર સરોવર નિગમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ ડાયવર્ધન પરથી જ ભારે વાહનોની અવરજવર કરવાની રહેશે.