Dehradun તા.24
ઉતરાખંડમાં આવનારા દિવસોમાં ચાર ધામ માટે જોલીગ્રાન્ટ, હરિદ્વાર અને ઋષિકેશમાંથી પણ હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની તૈયારી થઈ રહી છે ઉતરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ ઓથોરીટી (યુકાડા)એ તૈયારી શરૂ કરી દીધી છે. રાજયમાં ચારધામ યાત્રાની શરૂઆત 30 એપ્રિલથી થઈ રહી છે. કેદારનાથ ધામનાં કપાટ બે મેથી ખુલશે.
આથી બહારથી ચારધામ યાત્રા માટે હારિદ્વાર, ઋષિકેશ કે જોલીગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચવા માટે શ્રધ્ધાળૂઓને સરળતા રહેશે.તેઓ સીધા આ શહેરોથી પોતાનું બુકીંગ અનુસાર ચારધામ યાત્રા માટે ઉડાન ભરી શકશે.આથી રસ્તા પર ટ્રાફિકનું દબાણ પણ ઓછુ રહેશે.
હાલમાં બે ધામ બદરીનાથ અને કેદારનાથ માટે દહેરાદુનનાં સહસ્ત્રધારા હેલિપેડથી હેલિકોપ્ટર ઉડાન ભરે છે. આ સેવાનો લાભ લેવા માટે અન્ય રાજયમાંથી આવનાર શ્રધ્ધાળુઓને હરિદ્વાર, ઋષિકેશ કે જોલીગ્રાન્ટથી પહેલા લગભગ એકથી બે કલાકની સફર કરે તે સહસ્ત્ર ધારા હેલીપેક પર પહોંચવુ પડે છે. આ સમસ્યા નિવારવા યુઝાડાએ નવી હવાઈ સેવા શરૂ કરી દીધી છે.