New Delhi,તા.06
પહેલગામ હુમલાના પગલે ભારત હવે પાકિસ્તાનને ‘પાઠ’ ભણાવવા તૈયારીમાં છે. તે સમયે આજે N.S.A. Ajit Doval ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચી ગયા હતા અને બન્ને મહાનુભાવો વચ્ચે 30 મીનીટ સુધી ચર્ચા થઈ હતી.
આથી હવે ભારત કોઈ નિર્ણાયક પ્રહારની તૈયારીમાં હોવા અંગે સંકેત મળી ગયો છે. છેલ્લા 24 કલાકમાં મોદી-N.S.A. Ajit Dovalની આ બીજી મુલાકાત છે અને ગઈકાલે પણ મોદીએ સૈન્યની ત્રણેય પાંખોના વડાઓ સામે બેઠક યોજી હતી.
દેશમાં આવતીકાલે 244થી વધુ જીલ્લાઓની યુદ્ધ પુર્વેની મોકડ્રીલ યોજાવાની છે. મોદી છેલ્લા કેટલાક દિવસોમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ તથા ગુપ્તચર વિભાગોના વડાઓ સાથે પણ શ્રેણીબદ્ધ બેઠકો યોજી છે તથા ગૃહમંત્રી અમીત શાહ પણ ઘરઆંગણાનો મોરચો સંભાળી રહ્યા છે. તે વચ્ચે આ મુલાકાત મહત્વની બની જશે.