RAJKOT, તા. 15
ઓખા-ભાવનગર ટ્રેનને મુળી રોડ સ્ટેશન ઉપર સ્ટોપ આપવા આઇટી મીડિયા સંયોજક રાજેશ જે. ભાતેલીયાએ રેલવે મંત્રીને પત્ર પાઠવી વિસ્તૃત રજુઆત કરી છે.
રાજેશ ભાતેલીયાએ રેલવે મંત્રીને પત્ર પાઠવી વધુમાં જણાવ્યું છે કે ઓખાથી ભાવનગર જતી આવતી ટ્રેનનો મુળી રોડ ખાતે સ્ટોપ ન હોવાના કારણે મુૃળી તથા આજુબાજુના ટીકર, થારડી, મુળી, ગૌતમગઢ, કુકડા, સરા વગેરે ગામના લોકોને દ્વારકા જવા-આવવા ટ્રેન સુવિધા પ્રાપ્ત થતી નથી જેથી તેઓ ટ્રેન સુવિધાથી વંચિત રહે છે.
વળી ભાવનગરથી ઓખા જતી ટ્રેનનો સ્ટોપ સુરેન્દ્રનગરથી દિગસર રેલવે સ્ટેશને આપેલ છે. પરંતુ આ સ્ટેશનથી એવરેજ કદાચ બે ટીકીટનું પણ બુકીંગ થતું નહીં હોય અને મુળી રોડ સ્ટેશનથી તથા આજુબાજુના ઘણા ગામના લોકોને દ્વારકા જેેવા તીર્થધામે યાત્રા કરવા માટે એક પણ ટ્રેનની સુવિધા નથી.
વળી આ ટ્રેન ભાવનગરથી ઓખા તરફ જતા વાંકાનેર સ્ટેશને પહોંચવાનો સમય સવારે 4:10 વાગ્યાનો સમય છે. અને ઉપડવાનો સમય 4.35 વાગ્યાનો છે. પરંતુ આ ટ્રેન દરરોજ રાત્રીના 3 વાગ્યા પહેલા અને લગભગ 3.1પ કલાકે વાંકાનેર સ્ટેશને પહોંચીને 4.35 કલાકે ઉપડે છે.
આમ લગભગ એકથી દોઢ કલાક વાંકાનેર સ્ટેશને આ ટ્રેન પડી રહે છે. પરંતુ મુળી રોડ ખાતે આ ટ્રેનનો સ્ટોપ આપવામાં આવે તો મુળસી તથા આજુબાજુના ગામના લોકોને ઘણો જ ફાયદો થાય તેમ છે. અને રેલ્વેની આવકમાં પણ વધારો થાય તેમ છે. ઉપરાંત આ ટ્રેનનો સ્ટોપ મુળી ખાતે આપવા માટે લોક માંગણી ઉઠી છે.