Morbi,તા.17
મોરબીના જુના સાદુળકા પાસે આવેલ મચ્છુ 3 સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઈ ગયેલ છે ઉપરાંત પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઇ છે જેથી ડેમનો ૧ દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો છે અને ૭૫ કયુસેક જળ પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે
જેથી મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી) ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.) હરીપર અને ફતેપર એમ કુલ ૨૧ ગામોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે