જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે
Ahmedabadતા.૧૨
અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થયાની બે મિનિટમાં જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ છે. આ વિમાનમાં સવાર તમામ ૨૪૨ મુસાફરો પૈકી એક જ મુસાફર જીવિત હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ માહિતી આપી હતી કે, પોલીસને વિમાનમાં ૧૧છ નંબરની સીટ પર એક જીવિત મુસાફર મળ્યો છે.
આ વિમાનમાં કુલ ૨૪૨ લોકોમાં ૧૬૯ ભારતીય મુસાફરો, ૫૩ બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને ૧૨ ક્રૂ મેમ્બર સવાર હતા.
આ પહેલા અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, ‘એવુ લાગી રહ્યું છે કે, આ વિમાન દુર્ઘટનામાં મોટા ભાગના મુસાફરો જીવિત રહ્યા નથી. વિમાન રહેણાક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેના કારણે કેટલાક સ્થાનિકોના પણ મોત થયા છે. કાટમાળ અને આગની સ્થિતિ જોતા સ્થિતિ ખૂબ જ પડકારજનક બની છે.’
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું છે કે, ‘આ વિમાન દુર્ઘટનામાં પોલીસ જવાનને ૧૧છ સીટ પર એક મુસાફર જીવિત મળ્યો છે.’ પ્રાથમિક જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા. જેમાં ૨૩૦ મુસાફરો અને ૨ પાયલટ સહિત ૧૨ ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. પ્લેન ટેકઑફથી ક્રેશ થયાની ૮ મિનિટમાં શું થયું અને કયા કારણે પાયલટને એક મિનિટનો પણ સમય ન મળ્યો.