Rajkot,તા.28
રાજકોટ શહેર-જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ઈ-કે.વાય.સી.ની હજુ માત્ર 41.53 ટકા જ કામગીરી પૂર્ણ થવા પામી છે.કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ઈ-કેવાયસી ફરજિયાત કરી દેવાતા રાજકોટ સહિત રાજયભરમાં આ કામગીરી માટે કર્મચારીઓની ફોજ કામે લગાડી દેવામાં આવી છે.
પરંતુ રાજકોટ શહેર-જિલ્લામાં હજૂ માત્ર 41.53 ટકા કામગીરી પુર્ણ થવા પામી છે. 22,13,342 રેશનકાર્ડ ધારકોનું ઈ.કે.વાયસી હજૂ બાકી છે એટલે કે 58.49 ટકા કામગીરી હજૂ બાકી રહી છે.
આ ઉપરાંત રાજકોટ જિલ્લા કુલ એન.એફ.એસ.એ 13,36,798 રેશનકાર્ડ ધારકો માંથી 9,54,403 રેશનકાર્ડ ધારકોનું ઈ.કે.વાય.સી પુર્ણ થયેલ છે. એટલે કે 91.39 ટકા કામગીરી પૂર્ણ થવા પામી છે. હવે 3.82.395 એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારકોનું ઈ.કે.વાય.સી.બાકી છે.