પ્રેમ લગ્ન કરનાર બનેવીએ પત્નીને ત્રાસ ગુજારી કાઢી મુકતાં પોલીસ ફરિયાદ કરાઈ હોવાથી તેનો ખરા રાખી આ હુમલો કર્યો
Jamnagar,તા.20
જામનગર જિલ્લાના કાલાવડ માં રહેતા સદ્દામભાઈ ગફારભાઈ બારાડી નામના ૩૩ વર્ષના મેમણ વેપારી યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કાલાવડમાંજ રહેતા પોતાના બનેવી જુનેદ જીકરભાઈ રાવ સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે ફરિયાદીએ જાહેર કર્યા અનુસાર આરોપી જુનેદ કે જેના લગ્ન ફરિયાદી ની બહેન રેશમાંબેન સાથે થયા હતા, અને બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. જે લગ્ન થોડો સમય ચાલ્યા બાદ પતિ જુનેદે મારકુટ કરી, ત્રાસ આપવાનું શરૂ કરતાં રેશમાબેન પોતાના ઘેર પરત ફરી હતી, અને કાલાવડ પોલીસ મથકમાં મારકુટ અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદનું મન દુઃખ રાખીને આરોપીએ પોતાના સાળા ઉપર હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી તેને કાલાવડના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એસ. જાડેજા શોધી રહ્યા છે.