New Delhi,તા.23
ગઈકાલે હુમલાના પગલે શ્રીનગર દોડી ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાત્રીના બેઠકોનો દૌર ચલાવીને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી.
આજે સવારે તેઓએ શ્રીનગર લાવવામાં આવેલા દિવંગત સહેલાણીઓના પાર્થિવદેહને પુષ્પાંજલી કરી હતી તથા તેમના સંબંધીઓને મળ્યા હતા અને બાદમાં તેઓ પહેલગામ જવા રવાના થયા હતા.જયાં તેઓ હુમલાના સ્થળની મુલાકાત લેશે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સહેલાણીઓને મળશે.