Karachi.તા.૪
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં સુરક્ષા દળોએ અફઘાન સરહદ પારથી ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા ૩૦ આતંકવાદીઓને માર્યા હતા. મંગળવાર અને બુધવારની રાત્રે હસન ખેલ વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં, પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ‘ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ’એ શુક્રવારે માહિતી આપી હતી.
આઇએસપીઆરએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે સરહદ પર તૈનાત સુરક્ષા દળોએ ઝડપી અને સચોટ જવાબી કાર્યવાહી કરી અને અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ૩૦ આતંકવાદીઓને ઠાર માર્યા. “ઓપરેશન દરમિયાન આતંકવાદીઓના કબજામાંથી મોટી માત્રામાં શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે.
આઇએસપીઆરએ કહ્યું કે આ સફળતા પાકિસ્તાનની સતર્ક ગુપ્તચર પ્રણાલીની અસરકારકતા અને સુરક્ષા દળોની કાર્યકારી ક્ષમતાનો સીધો પુરાવો છે. “આ આપણા લશ્કરી દળોની તૈયારી અને વ્યાવસાયિક ક્ષમતાનું પ્રતિબિંબ છે. પાકિસ્તાને આ પ્રસંગે અફઘાનિસ્તાનને પણ ચેતવણી આપી હતી કે તેની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે “વિદેશી તત્વો” દ્વારા ન થાય.