Pakistan, તા.21
પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી પાકિસ્તાન ઘુંટણીયે આવી ગયુ છે.પાકિસ્તાનનાં વડાપ્રધાન શાહબાજ શરીફે ભારત સાથે વાતચીત માટે ફરી એકવાર અમેરિકાને આજીજી કરી છે.
શરીફ જમ્મુ-કાશ્મીર, સિંધુ જળ સંધિ, વેપાર અને આતંકવાદના વિરોધ જેવા પેન્ડીંગ મુદ્દા પર વાતચીત કરવાની ઈચ્છા જાહેર કરી છે તેમણે અમેરિકાનાં વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે આ વાત કરી છે. પાકિસ્તાનની સરકારી ટીવી પીટીવી તરફથી સોશ્યલ મિડિયા પોસ્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
જોકે આ મામલે ભારતનો સ્પષ્ટ ઉતર છે કે તે પાકિસ્તાન સાથે હવે પાકિસ્તાનનાં કબજાવાળા કાશ્મીરની વાપસી અને આતંકવાદનાં મુદા પર જ વાતચીત કરશે.પીટીવી મુજબ શાહબાજે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રૂબિયોની ભુમિકાનાં વખાણ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનનાં બારામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના સકારાત્મક નિવેદન દક્ષિતા એશીયામાં સ્થાયી શાંતિ માટે અત્યંત ઉત્સાહજનક છે.જેનાથી માત્ર પાકિસ્તાન અને ભારત વચ્ચે સાર્થક વાતચીત શરૂ કરવાથી જ સંભવ થઈ શકે છે.