Jaipur,તા.૨૬
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ દરમિયાન, રાજસ્થાનને અડીને આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પરથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભારત તરફથી સંભવિત હુમલાના ડરથી, પાકિસ્તાને સરહદ નજીક પોતાના દળો વધારી દીધા છે. પાકિસ્તાની સેનાએ મ્જીહ્લની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સરહદ પર નવા કેમેરા લગાવ્યા છે. પાકિસ્તાને સરહદ પર દેખરેખની પ્રવૃત્તિમાં ઘણો વધારો કર્યો છે.
માહિતી અનુસાર, સરહદ પર પાકિસ્તાની સેનાની ગતિવિધિ વધી ગઈ છે. રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદ નજીક ટેન્ક અને તોપો જોવા મળી રહી છે. પાકિસ્તાને તેની નૌકાદળ, સેના અને વાયુસેનાને એલર્ટ પર રાખી દીધી છે. પાકિસ્તાને પણ પોતાના ફાઇટર પ્લેન સક્રિય કર્યા છે.
પાકિસ્તાન આ હુમલાથી ડરી ગયું છે. તેમણે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. સિંધમાં મોટી સંખ્યામાં દળોને છુપાયેલા રાખવામાં આવ્યા છે. મોટાભાગનું નવું બાંધકામ સિંધમાં થયું છે. બીજી તરફ, બહાવલપુરમાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના મુખ્યાલયમાં પણ ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ભારત તરફથી હુમલાના ભયને કારણે જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તે જ સમયે, પાકિસ્તાની નાગરિકોને દેશમાંથી બહાર કાઢવાની ઝુંબેશ પણ તેજ થઈ ગઈ છે. વાઘા-અટારી બોર્ડર પર આ સમયે વાહનોની કતારો લાગેલી છે. આજે, અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાન ઇમિગ્રેશન તરફથી મંજૂરી મળ્યા બાદ ૧૯૧ પાકિસ્તાનીઓ ભારતમાંથી પાકિસ્તાન પરત ફર્યા છે જ્યારે ૨૮૭ ભારતીયો પાકિસ્તાનથી ભારત પરત ફર્યા છે. ભારત સરકારે પાકિસ્તાનીઓને ૨૭ એપ્રિલ એટલે કે આવતીકાલ સુધી પોતાના દેશમાં પાછા ફરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જેમની પાસે મેડિકલ વિઝા છે તેમણે પણ ૨૯ એપ્રિલ સુધીમાં પાછા ફરવાનું રહેશે.
પાકિસ્તાનથી આવતા હિન્દુઓ સિવાય તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કરીને પાકિસ્તાનીઓને નિર્ધારિત સમયમાં પાછા મોકલવા સૂચના આપી છે… ત્યારબાદ રાજ્ય સરકારોએ કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે… તમામ પાકિસ્તાનીઓને આવતીકાલ સુધીમાં ભારત છોડવું પડશે.