પાલિતાણા તળેટી, ગીરીરાજ ડુંગર સહિતના વિસ્તારમાં આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તા.૨૯-૪ અને તા.૩૦-૪ના રોજ અખાત્રીજના જૈન મેળાનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં જૈન યાત્રાળુઓ દર્શનાર્થે આવવાના હોય, આ વિસ્તારોમાં ગેરકાયદે રીતે પાન-મસાલા, ગુટકા, તમાકુ, ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટિકની કોથળીઓ, પાઉચ, બોટલો જેવી ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તે માટે બન્ને દિવસ આવી ચીજવસ્તુઓના વેચાણ ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ તા.૨૯-૪ અને તા.૩૦-૪ના રોજ છેલ્લા ચકલાથી જય તળેટી સુધીના જાહેર રોડની બન્ને સાઈડમાં નો પાર્કિંગ ઝોન અને જૈન મેળાના અનુસંધાને એક માર્ગીય રસ્તો જાહેર કરાતા ભાવનગરથી પાલિતાણા, ગારિયાધાર, ઘેટી, આદપુર તરફ જતાં ભારે વાહનોને ભાવનગર રોડ, રેલવે ક્રોસિંગથી જમીણ બાજુ જતાં બાયપાસ રોડ, સરદારનગર ચોકડી, ગારિયાધાર રોડ, ત્રણ રસ્તા, સિંધી કેમ્પ, મહાવીર પેટ્રોલપંપ, માનસિંહજી હોસ્પિટલ, છેલ્લા ચકલા, પાલિતાણા હાઈસ્કૂલ પાકિંગ મેદાન, અરીસા ભુવન, સાદડી ભુવન ધર્મશાળા થઈ ભીલવાડા, વણકરવાસ, લાવારીસ એસ.ટી. સ્ટેન્ડ, બ્રીજ ઉપરથી થઈને બહાર જવાનું રહેશે. પાલિતાણા હાઈસ્કૂલથી છેલ્લા ચકલા સુધી કોઈ વાહન પરત આવી નહીં શકે કે પાર્ક નહીં કરી શકાય તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું જારી કરી જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાપાત્ર કાર્યવાહી થશે તેમ જણાવ્યું છે.
Trending
- રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
- ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
- Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
- આજ નું પંચાંગ
- આજનું રાશિફળ
- Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા