Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા
    • 07 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 07 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Tusshar Kapoor પ્રકાશ ઝાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘જનાદેશ’માં જોડાયો
    • ‘Love and War’ના વ્યસ્ત સમયપત્રક વચ્ચે આલિયાએ રાહાના ઉછેર વિશે વાત કરી
    • ‘No Entry 2’ ત્રણેય મુખ્ય કલાકારો ડબલ રોલમાં જોવા મળશે
    • Rocky Cage નાં સંગીતે પાપુઆ ન્યુ ગિનીને ઓસ્કારમાં એન્ટ્રી અપાવી
    • Ahmedabad: ગ્રાહકના બુકીંગના ૮.૬૧ લાખ શોરૂમમાં જમા ન કરાવી છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Parimal Nathwaniનો ૧ ફેબ્રુઆરીના જન્મદિવસ
    જામનગર

    Parimal Nathwaniનો ૧ ફેબ્રુઆરીના જન્મદિવસ

    Vikram RavalBy Vikram RavalJanuary 31, 2025Updated:January 31, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.31

    પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ ) છે અને YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય એવા શ્રી નથવાણી રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ અને આદર્શ માને છે. પરિમલભાઈની કોઠાસૂઝ અને કોઈ પણ સમસ્યામાંથી ત્વરિત ઉકેલ શોધવાના કૌશલ્યને જાણવું હોય તો ગુજરાતના જામનગર સ્થિત દુનિયાની સૌથી મોટી રિફાઈનરી જ જોઈ લો. રિલાયન્સના સ્વપ્નદૃષ્ટા સ્વ. ધીરુભાઈ અંબાણીની પરિકલ્પનાને સાકાર કરવા અતિઆવશ્યક એવા જામનગરના જમીન સંપાદનના અશક્ય ટાસ્કને પરિમલભાઈ બખૂબી પાર પાડી ચૂક્યા છે. એટલું જ નહીં, રિલાયન્સ પેટ્રોલિયમના રિટેલ આઉટલેટ્સ, રિટેલ સાહસોની સ્થાપના, ગેસ ટ્રાન્સપોર્ટેશન પાઈપલાઈન બિછાવવી કે પછી પશ્ચિમના રાજ્યોમાં જિયો મોબાઈલનું નેટવર્ક સ્થાપિત કરવાનું હોય, શ્રી નથવાણીએ આ બધા ટાસ્ક આડેના અવરોધોને આગવી સૂઝબૂઝથી દૂર કર્યા છે. અત્યારે તેઓ ગુજરાતમાં રિલાયન્સના સૌર ઊર્જા, પવન ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન સહિતના ન્યૂ એનર્જી વ્યવસાયનું સુકાન સંભાળી રહ્યા છે.

    જૂન 2020માં આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા પહેલાં તેઓ સતત બે ટર્મ (2008થી 2020 સુધી) ઝારખંડમાંથી રાજ્યસભાના અપક્ષ સાંસદ રહી ચુક્યા છે. સંસદ આદર્શ ગ્રામ યોજના (એસએજીવાય), ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા વગેરે ક્ષેત્રોમાં શ્રી નથવાણીએ ઉમદા કામગીરી કરી છે જેનું નિરૂપણ રાંચી સ્થિત ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દૈનિકે રિલિઝ કરેલા બે પુસ્તક ‘ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી)’ તથા ‘એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણી’માં સુપેરે કરાયું છે.

    ઝારખંડમાં પોતાની સતત બે ટર્મ (12 વર્ષ) દરમિયાન શ્રી નથવાણીએ કરેલા લોકોપયોગી કાર્યોને આજે પણ ત્યાંની જનતા યાદ કરે છે. તેનું એકમાત્ર કારણ એ છે કે તેમણે સાંસદ તરીકે પોતાને મળતા ફંડ (MPLAD)નો 100 ટકા ઉપયોગ સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY), ગ્રામીણ માળખાગત સુવિધાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વગેરે માટે કર્યો હતો. SAGY અંતર્ગત તેમણે દત્તક લીધેલા ત્રણ ગામ બરામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગમાં કરેલા વિકાસ કાર્યો રાજ્યમાં માત્ર વખણાયા જ નથી, પરંતુ અનુકરણીય પણ બની રહ્યા છે.

    ઓક્ટોબર 2019 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના ઉપાધ્યક્ષ તરીકે સેવાઓ આપનારા શ્રી પરિમલ નથવાણીનું અમદાવાદમાં મોટેરા ખાતે બનેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં પણ અનેરું યોગદાન છે. આ ભગીરથ પ્રોજેક્ટના સંપૂર્ણ કાર્યનું તેમણે સફળતાપૂર્વક નિરીક્ષણ અને અમલીકરણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને પાયાથી ઊભું કરવાનું કાર્ય શ્રી નથવાણીએ GCAના પૂર્વ પ્રમુખ અને ભારતના ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને ગાઢ સહયોગ સાથે સંપન્ન કર્યું હતું.

    ગુજરાત સરકારના વિવિધ બિઝનેસ ડેલિગેશન્સના સભ્ય તરીકે શ્રી નથવાણીએ ચીન, જાપાન, રશિયા, સાઉથ કોરિયા, સ્વિત્ઝર્લેન્ડ, યુગાન્ડા, કેન્યા, અસ્ત્રાખાન સહિતના ડઝનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોમાં ભાગ લીધો છે. તેના કારણે તેમને વિશ્વના બિઝનેસ લીડર્સ સાથે સંવાદ સાધવાની પણ તક સાંપડી હતી.

    પરિમલભાઈ સતત 15 વર્ષ સુધી ગુજરાતના દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહ્યા હતા. ગુજરાત સરકાર સાથે સાયુજ્ય સાધીને તેમણે રિલાયન્સના પ્રતિનિધિ તરીકે પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. શ્રી નથવાણી સતત 11 વર્ષથી નાથદ્વારા મંદિર બોર્ડના પણ સભ્ય છે – આ બોર્ડ રાજસ્થાનમાં આવેલા પુષ્ટિ માર્ગીય શ્રીનાથજી મંદિરના વહીવટનો કાર્યભાર સંભાળે છે.

    હાલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)માં અધ્યક્ષ તરીકે શ્રી નથવાણી ગુજરાતમાં ફૂટબોલની રમતને વેગ આપવામાં પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. તેઓ ગુજરાતમાં મક્કમતાથી ફૂટબોલની રમતનો પાયાના સ્તરથી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

    શ્રી પરિમલ નથવાણી વન્યજીવન માટે ખૂબ જ ઉત્સાહી છે, ખાસ કરીને ગીરના સિંહો માટે. વિશ્વમાં એકમાત્ર ગીરમાં જ જોવા મળતાં એશિયાટિક સિંહોના જતન અને સંવર્ધન માટે તેમણે ઘણાં કાર્યો કર્યા છે. એશિયાટિક સિંહોના જાજરમાન ગૌરવનો દુનિયા સાથે પરિચય કરાવવા તેમણે ‘ગીર લાયનઃ પ્રાઇડ ઓફ ગુજરાત’ અને ‘કોલ ઓફ ધ ગીર’ નામના બે સમૃદ્ધ પુસ્તક તૈયાર કરાવ્યા છે. આ સાથે શ્રી પરિમલ નથવાણીએ એશિયાટીક સિંહો પર ‘ધ પ્રાઇડ કિંગ્ડમ’ નામે એક વિડિયો ડોક્યુમેન્ટરી પણ પ્રસિધ્ધ કરી છે, જે યુટ્યુબ સહિતના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

    શ્રી પરિમલ નથવાણીએ ઘણાં લાંબા સમય સુધી શ્રી ધીરુભાઈ સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું હતું. શ્રી ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેકનોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ, વગેરે અનુભવોને શબ્દોમાં કંડારતા નથવાણીએ સપ્ટેમ્બર 20223માં “એકમેવ… ધીરુભાઈ અંબાણી” પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં શ્રી ધીરુભાઈ અંબાણીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ, જેમ કે એક વિચારક, એક ઉદ્યોગ સાહસિક, એક સ્વપ્નદૃષ્ટા, પરિવારના મોભી, એક રોલ મોડલ, વગેરેને સુપેરે આવરી લેવાયાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે.

    આ ઉપરાંત શ્રી પરિમલ નથવાણી નીચે મુજબની સમિતિઓ/બોર્ડમાં સભ્યપદ ધરાવે છેઃ

    1. સભ્ય, વિજ્ઞાન અને તકનિકી, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિ, 2. ચેરમેન, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર, 3. આજીવન સભ્ય, ભારતીય બંધારણ ક્લબ, 4. સભ્ય, બોર્ડ ઓફ ગવર્નન્સ, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, 5. સભ્ય, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિ, ગુજરાત સરકાર 6. સ્થાપક ડાયરેક્ટર, GEET ફાઉન્ડેશન, ગીરમાં પર્યાવરણીય અને ઇકોલોજીકલ પ્રવાસનને ઉત્તેજન આપતી બિન-સરકારી સંસ્થા

    Jamnagar Parimal Nathwani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મળ્યું

    August 30, 2025
    જામનગર

    Jamnagar: જિલ્લાના પાંચ ફોજદારની બદલી

    August 30, 2025
    જામનગર

    Jamnagar: કુતરાની સળી કરવા મામલે પડોશીઓ બાખડી પડયા

    August 30, 2025
    જામનગર

    Jamnagar: ગુલાબનગરમાંથી ચાર જુગારી ઝબ્બે

    August 28, 2025
    જામનગર

    Jamnagar: કાલાવડમાં બે ટ્રકમાંથી બેટરીની ચોરી અંગે પોલીસમાં થઇ ફરિયાદ

    August 28, 2025
    જામનગર

    Jamnagar: ભોજાબેડી ગામે જમીનમાં ચાલવાના મુદ્દે વકીલ ઉપર ચાર શખ્સોનો હુમલો

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 6, 2025

    Tusshar Kapoor પ્રકાશ ઝાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘જનાદેશ’માં જોડાયો

    September 6, 2025

    ‘Love and War’ના વ્યસ્ત સમયપત્રક વચ્ચે આલિયાએ રાહાના ઉછેર વિશે વાત કરી

    September 6, 2025

    ‘No Entry 2’ ત્રણેય મુખ્ય કલાકારો ડબલ રોલમાં જોવા મળશે

    September 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.