Rajkot,તા.13
રાજકોટને બાદ કરતા રાજયનાં મોટાભાગનાં સ્થળોએ ગરમીમાં આંશિક રાહત થઈ છે. અનેક સ્થળોએ પારો 1 થી 3 ડિગ્રી ઘટયો હતો.જો કે રાજકોટમાં કાળઝાળ ગરમી યથાવત રહી હતી.ગઈકાલે રાજકોટનું મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી નોંધાયું હતું.
જયારે, અમદાવાદમાં 40.7, અમરેલીમાં 41 વડોદરામાં-40, ભાવનગરમાં 37.8, ભુજમાં 40.2, દમણમાં 36, ડાંગમાં 40.9, તથા ડિસામાં 40.2 ડિગ્રી દિવમાં 32.9, દ્વારકામાં 32.8, ગાંધીનગરમાં 40.6, કંડલામાં 39, નલિયામાં પણ 39, ઓખામાં 32, તથા પોરબંદરમાં 40.8, સુરતમાં 38.5 અને વેરાવળ ખાતે 32 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું.
જામનગરમાં માર્ચના બીજા સપ્તાહના આરંભ સાથે ધીરે ધીરે ગરમીના પગરવ શરૂ થયા હતા. જેમાં ખાસ કરીને છેલ્લા ચાર દિવસથી મહતમ તાપમાનમાં અવિરત વધારો જોવા મળી રહયો છે. 38.5 ડિગ્રી પર સ્થિર થયેલો હતો.
જ્યારે લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીના ધટાડા સાથે 20 ડિગ્રી પહોંચ્યો હતું.તો વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં 20 ટકા વધીને 62 ટકા નોંધાયું હતું.અને પવનની ગતિમાં 3 કિમીના વધારા સાથે પ્રતિકલાક 8.4 કિમિ રહી હતી.
બપોરના સમયે આકાશમાંથી અગનવર્ષા થતી હોય જેથી જનજીવન પણ પ્રભાવિત થયુ હતુ. તાપ સાથે ઉકળાટ -બફારાથી લોકો આકુળ વ્યાકુળ થયા હતા. આગામી દિવસોમાં ગરમીનુ જોર હજુ વધવાની સંભાવના પણ હવામાન વિભાગે દર્શાવી છે.