આ નિર્ણય લાખો મુસાફરો માટે રાહતથી ઓછો નહીં હોય જેઓ મુસાફરી ખર્ચમાં ભારે ઘટાડાની આશા રાખી રહ્યા છે
New Delhi, તા.૨
ફરી એકવાર ભારતીય રેલવે તરફથી મુસાફરો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે એવી આશા છે કે ટ્રેન ટિકિટ પર ભાડામાં છૂટ ટૂંક સમયમાં ફરી મળશે. કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલી આ સુવિધા હવે ફરીથી શરૂ થઈ શકે છે, જેનાથી લાખો વૃદ્ધ મુસાફરોને મોટી રાહત મળશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવેની સ્થાયી સમિતિએ વરિષ્ઠ નાગરિકો માટે ભાડામાં છૂટની ફરીથી સમીક્ષા કરવાની અને ઓછામાં ઓછી સ્લીપર અને થર્ડ એસી (૩છઝ્ર) ક્લાસમાં છૂટ પુનઃસ્થાપિત કરવાની ભલામણ કરી છે. નોંધનીય છે કે કોરોના મહામારી દરમિયાન રેલવેએ તમામ પ્રકારની ભાડામાં છૂટ બંધ કરી દીધી હતી. હવે ઘણા સાંસદોએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો છે અને સરકારને વૃદ્ધોને ફરીથી રાહત આપવાની માંગ કરી છે.
જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભલામણ પર નીતિ નિર્માણ સ્તરે ટૂંક સમયમાં વિચારણા શરૂ થઈ શકે છે અને જો બધું બરાબર રહ્યું, તો ટૂંક સમયમાં વરિષ્ઠ નાગરિકોને ફરી એકવાર છૂટનો લાભ મળી શકે છે. રેલવે મંત્રીએ કહ્યું કે રેલવે પહેલાથી જ બધા મુસાફરોને સરેરાશ ૪૫ ટકા સબસિડી આપી રહી છે. એટલે કે, જો મુસાફરીનો ખર્ચ રૂપિયા ૧૦૦ હોય, તો મુસાફરો પાસેથી ફક્ત રૂપિયા ૫૫ લેવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪માં, રેલવેએ મુસાફરોને ટિકિટ પર રૂપિયા ૬૦,૪૬૬ કરોડની સબસિડી આપી છે.
જોકે હાલમાં વરિષ્ઠ નાગરિકોને કોઈ ડિસ્કાઉન્ટ મળી રહ્યું નથી, તેમ છતાં રેલવે હજુ પણ ૪ કેટેગરીના દિવ્યાંગ મુસાફરો, ૧૧ કેટેગરીના દર્દીઓ અને ૮ કેટેગરીના વિદ્યાર્થીઓને છૂટ આપી રહ્યું છે.