Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નેહરુને ફક્ત ચીન યુદ્ધ દ્વારા, અડવાણીને ફક્ત રથયાત્રા દ્વારા ન જુઓ; MP Shashi Tharoor

    November 9, 2025

    પાછલી સરકારો દરમિયાન આતંકવાદીઓ સામે કાર્યવાહી ઢીલી હતી,ગૃહમંત્રી Amit Shah

    November 9, 2025

    લોકો મને મારી નાખશે, મારા ઘણા દુશ્મનો છે,Tej Pratap Yadav

    November 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નેહરુને ફક્ત ચીન યુદ્ધ દ્વારા, અડવાણીને ફક્ત રથયાત્રા દ્વારા ન જુઓ; MP Shashi Tharoor
    • પાછલી સરકારો દરમિયાન આતંકવાદીઓ સામે કાર્યવાહી ઢીલી હતી,ગૃહમંત્રી Amit Shah
    • લોકો મને મારી નાખશે, મારા ઘણા દુશ્મનો છે,Tej Pratap Yadav
    • Thiruvananthapuram ના પદ્મનાભસ્વામી મંદિરમાંથી ગુમ થયેલ સોનું મળ્યું
    • મુકેશ અંબાણીએ તિરુમાલામાં એક આધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરી
    • ઘણી વસ્તુઓ નોંધાયેલ નથી. હિન્દુ ધર્મ પણ નોંધાયેલ નથી,Mohan Bhagwat
    • રાજકારણમાં સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ,લગભગ દરેક ઉમેદવાર પાસે હવે પોતાનો વોર રૂમ છે
    • 10 નવેમ્બર નું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»આખી રાત રમો ગરબા,આખી રાત ગરબા રમી શકાશેઃ Harsh Sanghvi
    ગુજરાત

    આખી રાત રમો ગરબા,આખી રાત ગરબા રમી શકાશેઃ Harsh Sanghvi

    Vikram RavalBy Vikram RavalSeptember 28, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હર્ષ સંઘવીએ મધરાત ૧૨ પછી લાઉડ સ્પીકર વગાડવાના મુદ્દે જાહેરમાં બોલવાનું ટાળ્યું

    Gandhinagar,તા.૨૮

    નવરાત્રી ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશખબર લઈને આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા પર સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે ગુજરાતમાં નવરાત્રિની ૧૦મી રાત્રે આખી રાત ગરબા રમી શકાશે. સવારે ૫ વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.

    આ વર્ષે પણ ખેલાડીઓ નવરાત્રિ દરમિયાન મધરાત ૧૨ વાગ્યા પછી માતાજીના ગરબા તેમના મનની વાત કરી શકશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે આ સારા સમાચાર આપ્યા છે. મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્ક્‌લેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ‘ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો રમવા ક્યાં જશે?’ નવરાત્રિમાં સવાર સુધી ગરબા રમવાની તમામને છૂટ હશે.

    હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસ કોર્ટમાં જવા માંગે છે તો જાય પરંતુ આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જોકે, હર્ષ સંઘવીએ મધરાત ૧૨ પછી લાઉડ સ્પીકર વગાડવાના મુદ્દે જાહેરમાં બોલવાનું ટાળ્યું છે.જોકે ગુજરાતના ખેલાડીઓ માટે એક મોટા સમાચાર એ છે કે આ નવરાત્રીમાં ખેલાડીઓ સવાર સુધી ગરબા રમી શકશે.મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્કલેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે.

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ જાહેરાતે ગુજરાતીઓને આનંદમાં લાવી દીધા છે. તેની સાથે ગુજરાતી ખેલૈયાઓની સાથે ગુજરાતી આયોજકો પણ ગેલમાં આવી ગયા છે.  ગરબાનો શોખીન કયા ગુજરાતીને આના લીધે આનંદ નહીં થાય. આના પગલે પાર્ટી પ્લોટોના આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાત્રિના બાર વાગ્યાની ડેડલાઇનનું પાલન કરાવતા આયોજકોને પણ નાકે દમ આવી જતો હતો. આ પહેલા આ ડેડલાઇનના લીધે ગરબાની રંગત બરાબરની જામી હોય ત્યાં જ તેણે ગરબા બંધ કરવાની જાહેરાત કરવી પડતી હતી. લોકોને પણ તેના લીધે નિસાસો પડતો હતો.

    જો કે ગૃહરાજ્ય મંત્રીએ આપેલી છૂટના લીધે પોલીસનું કામ વધી જશે તેમ મનાય છે. પોલીસે નવરાત્રિ દરમિયાન રાત્રિ બંદોબસ્ત માટે વધારાની કુમક બોલાવવી પડશે તેમ માનવામાં આવે છે. આ પાછી કોઈ એકાદ શહેરની વાત નથી. આખા ગુજરાતની વાત છે.દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદના ગરબા આયોજકો માટે મહત્વની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેને આ નવરાત્રિએ પાલન કરવાની રહેશે.  અમદાવાદીઓની સુરક્ષા કરવાનું કામ અમદાવાદ પોલીસનું છે. ત્યારે શહેરીજનોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રિમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગાઈડલાઈન બનાવાઈ છે, જેનું ગરબા આયોજકો દ્વારા ફરજિયાત પાલન કરવાનું રહેશે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. જેમાં મહત્વનો છે કે, રાત્રે ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે.

    અમદાવાદ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન જોઇએ તો પાર્ટી પ્લોટ અને ગરબા મેદાનના પાર્કિંગ અને અંધારાવાળી જગ્યાએ ફરજિયાત લાઇટ લગાવવી પડશે. આ ઉપરાંત દુકાનોમાં સીસીટીવી લગાવવાના રહેશે,જે પણ રોમિયોગીરી કરતાં ઝડપાશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે,ગરબા સ્થળોએ ભેગા થતા લોકોના પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ ગેટની વ્યવસ્થા કરવાની રહેશે, આયોજકોએએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ગરબા સ્થળની બંને બાજુના ૨૦૦ મીટર સુધી રોડ પર ટ્રાફિક જામ ન થાય અને પાર્કિંગમાં કોઈ અવરોધ ન આવે, જો કોઈ શંકાસ્પદ વાહન જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ,ગરબા કાર્યક્રમના આયોજકોએ ઈલેક્ટ્રીક ફીટીંગની યોગ્યતા અને ફાયર સેફ્ટી માટે જરૂરી વ્યવસ્થાઓ અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, ગરબા સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા આયોજકો દ્વારા સ્વયંસેવકો/સુરક્ષા ગાર્ડ દ્વારા કરવાની રહેશે અને રસ્તા પર પાર્કિંગ હોવું જોઈએ નહીં.,ગરબા કાર્યક્રમના આયોજકોએ ખાનગી સિક્યોરિટી મારફત તોડફોડ વિરોધી ચેકિંગ કરાવવાનું રહેશે.,કાર્યક્રમની ક્ષમતા કરતાં વધુ પાસ અથવા ટિકિટનું વિતરણ ન કરવું.

    ગુજરાતમાં હવે ૧૨ વાગ્યા સુધી નહી પણ મોડી રાત સુધી ગરબા રમી શકાશે કારણ કે, નવરાત્રિમાં ગરબા રમવાને લઈ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે.

    આ ઉપરાંત નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે અને પોલીસ તેમની ફરજનું જોડે જોડે પાલન પણ કરશે. સાથે સાથે પોલીસને સૂચનાઓ પણ આપવામા આવી છે. નાગરિકો પણ જવાબદારી નિભાવે અને કોઈને તકલીફ ના પડે તેવું કામ કરે, લોકો હેરાન ન થાય તેની જવાબદારી નાગરિકોની રહેશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

    મળતી માહિતી મુજબ, ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવા માટે હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતીઓ ગરબા નહી રમે તો કોણ રમશે? ત્યારે આ જાહેરાત થતાની સાથે જ ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વધુમાં પોલીસને નાગરિકો સહકાર આપે તેવી અપીલ હર્ષ સંઘવીએ કરી છે અને મોડી રાત સુધી વેપારીઓ વેપાર કરી શકશે અને ખેલૈયાઓને મોડી રાત સુધી નાસ્તો પણ બજારમાંથી મળી રહેશે.

    વધુમાં ગૃહમંત્રીએ અપીલ કરી છે કે, નવરાત્રીના સમય દરમિયાન તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને જેમની સાથે જવાના હોય એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો. ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન રાખજો તેમજ અજાણી અથવા ઓછા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્ય પદાર્થ ખાશો નહીં. અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરશો નહીં તેમજ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ જશો નહી.

     

    Gandhinagar Harsh Sanghvi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi; હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ સામે આવ્યું

    November 9, 2025
    ગુજરાત

    Gujarat માં મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ

    November 9, 2025
    રાજકોટ

    Rajkot : બે હજાર રૂપિયામાં લેપટોપ મળે છે એવી લાલચ આપી છેતરપિંડી કરી

    November 9, 2025
    ગુજરાત

    Gujarat માંથી પાકિસ્તાનમાં પૈસા મોકલવાનું મસમોટું કૌભાંડ, હર્ષ સંઘવીએ માહિતી આપી

    November 8, 2025
    રાજકોટ

    કમોસમી વરસાદના નુકસાન સામે ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજને કોંગ્રેસના Lalit Vasoya એ ‘ખેડૂતોની મજાક’ ગણાવ્યું

    November 8, 2025
    અમદાવાદ

    ખેડૂતોના ખેતરે મંત્રીઓએ ફોટા પડાવ્યા બાદ કોથળામાંથી બિલાડું કાઢ્યું, Gopal Italia

    November 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નેહરુને ફક્ત ચીન યુદ્ધ દ્વારા, અડવાણીને ફક્ત રથયાત્રા દ્વારા ન જુઓ; MP Shashi Tharoor

    November 9, 2025

    પાછલી સરકારો દરમિયાન આતંકવાદીઓ સામે કાર્યવાહી ઢીલી હતી,ગૃહમંત્રી Amit Shah

    November 9, 2025

    લોકો મને મારી નાખશે, મારા ઘણા દુશ્મનો છે,Tej Pratap Yadav

    November 9, 2025

    Thiruvananthapuram ના પદ્મનાભસ્વામી મંદિરમાંથી ગુમ થયેલ સોનું મળ્યું

    November 9, 2025

    મુકેશ અંબાણીએ તિરુમાલામાં એક આધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરી

    November 9, 2025

    ઘણી વસ્તુઓ નોંધાયેલ નથી. હિન્દુ ધર્મ પણ નોંધાયેલ નથી,Mohan Bhagwat

    November 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નેહરુને ફક્ત ચીન યુદ્ધ દ્વારા, અડવાણીને ફક્ત રથયાત્રા દ્વારા ન જુઓ; MP Shashi Tharoor

    November 9, 2025

    પાછલી સરકારો દરમિયાન આતંકવાદીઓ સામે કાર્યવાહી ઢીલી હતી,ગૃહમંત્રી Amit Shah

    November 9, 2025

    લોકો મને મારી નાખશે, મારા ઘણા દુશ્મનો છે,Tej Pratap Yadav

    November 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.