વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં તેમના પ્રદર્શન બદલ હેમંત સોરેન અને તેમની પાર્ટીને અભિનંદન પાઠવ્યા
New Delhi, તા.૨૩
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી તથા અન્ય રાજ્યમોમાં યોજાયેલ પેટાચૂંટણીમાં પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જનતા અને દ્ગડ્ઢછના કાર્યકર્તાઓનો આભાર માન્યો છે. પીએમ મોદીએ આ પરિણામને વિકાસ અને સુશાનનની જીત જણાવતા કહ્યું કે, આ પરિણામ દ્ગડ્ઢછની જનહિતકારી નીતિઓ પર જનતાનો વિશ્વાસ દર્શાવે છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની શાનદાર સફળતા અને ઝારખંડમાં હેમંત સોરેનની આગેવાની હેઠળના ગઠબંધનની લીડ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
વાસ્તવમાં મહારાષ્ટ્રમાં દ્ગડ્ઢછના મહાયુતિ ગઠબંધને ૨૦૦થી વધુ સીટો પર લીડ મેળવી છે. પીએમ મોદીએ ટિ્વટ કરીને કી મહારાષ્ટ્રની જનતા, ખાસ કરીને યુવાનો અને મહિલાઓનો ઐતિહાસિક જનાદેશ માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની પ્રગતિ માટે અમારું ગઠબંધન કામ કરતું રહેશે. જય મહારાષ્ટ્ર!
ઝારખંડમાં પણ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. અહીં હેમંત સોરેનની આગેવાની હેઠળનું ગઠબંધન ૪૦થી વધારે બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે દ્ગડ્ઢછ ૩૦થી વધુ બેઠકો પર આગળ છે.
પીએમ મોદીએ ઝારખંડના લોકોનો આભાર માનતા ટ્વીટ કર્યું કે, “અમે હમેંશા રાજ્યના લોકોની સમસ્યાઓને ઉઠાવવામાં અને તેમના માટે કામ કરવામાં અગ્રેસર રહીશું.” આ ઉપરાંત તેમણે હેમંત સોરેન અને તેમની પાર્ટીને તેમના પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ પેટાચૂંટણીમાં દ્ગડ્ઢછના પ્રદર્શનને પણ જનતાનો વિશ્વાસ બતાવ્યો છે. તેમણે લખ્યું કે, “દ્ગડ્ઢછની જનહિતકારી નીતિઓ દેશભરમાં ગુંજી રહી છે. જનતાના સપના અને આકાંક્ષાઓને પૂરી કરવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં.” ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર ભાજપે સાત બેઠકો પર આગળ રહીને વિપક્ષને કાંટાની ટક્કર આપી છે, જ્યારે અન્ય રાજ્યોની પેટાચૂંટણીઓમાં પણ દ્ગડ્ઢછનું પ્રદર્શન અસરકારક રહ્યું છે.
વડાપ્રધાને દ્ગડ્ઢછ કાર્યકર્તાઓના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓએ જનતાની વચ્ચે સખત મહેનત કરી અને સુશાસનનો એજન્ડા રજૂ કર્યો. તેમના મતે આ જીત એનડીએની નીતિઓની સફળતા જ નહીં પરંતુ જનતાના વિશ્વાસનું પ્રમાણ પણ છે. આ પરિણામો પછી એ સ્પષ્ટ છે કે દ્ગડ્ઢછનો વિજયી રથ આગળ વધી રહ્યો છે અને તે જનહિતના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે.