New Delhi,તા.૧૫
પીએમ મોદીએ મુંબઈના નેવી ડોકયાર્ડ ખાતે નૌકાદળના ૩ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો -આઇએનએસ સુરત,આઇએનએસ નીલગિરી અને આઇએનએસ વાગશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે, પીએમએ કહ્યું કે નવા યુદ્ધ જહાજો રાષ્ટ્રની સુરક્ષાને મજબૂત બનાવશે. આજે ભારત નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહ્યું છે. આપણી નૌકાદળે સેંકડો લોકોના જીવ બચાવ્યા છે.
પીએમએ કહ્યું કે ત્રણેય દળોએ આત્મનિર્ભરતાનો મંત્ર અપનાવ્યો છે. ભારત વિસ્તરણવાદ નહીં, પરંતુ વિકાસની ભાવના સાથે આગળ વધે છે. તેમણે એમ પણ કહ્યું કે આજે ભારતને સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ઓળખવામાં આવી રહી છે.
પીએમએ કહ્યું કે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે. આપણે આખી દુનિયાને પરિવાર માનીએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, એ ગર્વની વાત છે કે ત્રણેય ફ્રન્ટલાઈન નૌકાદળો ભારતમાં બનેલા છે. આજનો ભારત વિશ્વમાં એક મોટી દરિયાઈ શક્તિ તરીકે ઉભરી રહ્યો છે.
પીએમએ કહ્યું કે આજનો દિવસ ભારતના દરિયાઈ વારસા, નૌકાદળના ગૌરવશાળી ઇતિહાસ અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક મોટો દિવસ છે. છત્રપતિ શિવાજી મહારાજની પવિત્ર ભૂમિ પર, આપણે ૨૧મી સદીના નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહ્યા છીએ. આ પહેલી વાર છે જ્યારે કોઈ ડિસ્ટ્રોયર, ફ્રિગેટ અને સબમરીન એકસાથે કામ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમણે નૌકાદળને નવી તાકાત અને દ્રષ્ટિ આપી હતી. નોંધનીય છે કે કાફલામાં ત્રણ મુખ્ય નૌકાદળના લડાયક જહાજોનો ઉમેરો ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટું યોગદાન છે, જે ભારતને સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતા બનવાના માર્ગ પર આગળ લઈ જશે.પીએમએ કહ્યું કે નવા યુદ્ધ જહાજો રાષ્ટ્રની સુરક્ષાને મજબૂત બનાવશે. આજે ભારત નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહ્યું છે. આપણી નૌકાદળે સેંકડો લોકોના જીવ બચાવ્યા છે.પીએમએ કહ્યું કે ત્રણેય દળોએ આત્મનિર્ભરતાનો મંત્ર અપનાવ્યો છે. ભારત વિસ્તરણવાદ નહીં, પરંતુ વિકાસની ભાવના સાથે આગળ વધે છે. તેમણે એમ પણ કહ્યું કે આજે ભારતને સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ઓળખવામાં આવી રહી છે.
પીએમએ કહ્યું કે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે. આપણે આખી દુનિયાને પરિવાર માનીએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, એ ગર્વની વાત છે કે ત્રણેય ફ્રન્ટલાઈન નૌકાદળો ભારતમાં બનેલા છે. આજનો ભારત વિશ્વમાં એક મોટી દરિયાઈ શક્તિ તરીકે ઉભરી રહ્યો છે.
નૌકાદળમાં સમાવિષ્ટ આ યુદ્ધ જહાજોની વિશેષતાઓ જોઇએ તો આઇએનએસ નીલગિરી એ પ્રોજેક્ટ ૧૭છ સ્ટીલ્થ ફ્રિગેટ વર્ગનું ટોચનું જહાજ છે. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલ, તે આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ છે. તે એચએમ-૬૦ઇ સહિત વિવિધ પ્રકારના હેલિકોપ્ટર પણ ચલાવી શકે છે. પ્રોજેક્ટ ૧૫મ્ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર ક્લાસનું ચોથું અને છેલ્લું યુદ્ધ જહાજ, ૈંઆઇએનએસ સુરત, કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયરની આગામી પેઢીનું સભ્ય છે. તેની ડિઝાઇન અને ક્ષમતાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. આઇએનએસ નીલગીરીની જેમ, તેને પણ યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને એમડીએલ ખાતે તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.આઇએનએસ વાગશીર એ સ્કોર્પિયન વર્ગના પ્રોજેક્ટ ૭૫ હેઠળ છઠ્ઠું અને છેલ્લું યુદ્ધ જહાજ છે. તે એક બહુ-ભૂમિકા ડીઝલ-ઇલેક્ટ્રિક સંચાલિત જહાજ છે. ત્રણેય આ યુદ્ધ જહાજો સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને બનાવવામાં આવ્યા છે. આ દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં વધતી કાર્યક્ષમતા દર્શાવે છે.