રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારને હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે
Ahmedabad, તા. ૯
તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઘટનાનો સામે આવી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારને હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ , નિષ્કા ચિલ્ડ્ર્ન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિ જણાઇ આવતા pmjay -મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેના અંતર્ગત ગત અઠવાડિયામાં ૨ ડિસેમ્બર થી ૮ ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ૫ હોસ્પિટલ અને ૨ ડૉક્ટરની ગેરરીતિઓ સામે આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી.