Morbi,તા.28
મોરબીમાં બે સ્થળે તેમજ વાંકાનેર શહેરમાં એક મળીને કુલ ત્રણ આપઘાત અને અપમૃત્યુના બનાવો નોંધાયા છે જે બનાવો મામલે પોલીસે તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મૂળ કલોલ તાલુકાના વેડા (ગોવિંદપુર) ગામના વતની અને હાલ સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે મેગાટ્રોન સિરામિકમાં કામ કરતા વિશાલકુમાર ગોવિંદભાઈ રાવળ (ઉ.વ.૨૦) નામના યુવાન ગત તા. ૨૭ માર્ચના રોજ સાપર ગામની સીમમાં કુદરતી હાજતે ગયા બાદ ઘરે પરત ફર્યા ના હતા અને યુવાનનો મૃતદેહ પાણી ભરેલ ખાડામાંથી કોહવાયેલ હાલતમાં મળી આવ્યો હતો બીજા બનાવમાં મૂળ મોટા દહીંસરાના વતની અને હાલ મોરબીની ચિત્રકૂટ સોસાયટી શેરી નં ૩ માં રહેતા વનીતાબેન બાબુભાઈ કાંજીયા (ઉ.વ.૫૯) નામના વૃદ્ધા પોતાના ઘરના બાથરૂમમાં ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લેતા સારવારમાં મોત થયું હતું બનાવ મામલે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વનીતાબેનને દીકરાથી અલગ રહેવા જવાની જીદ કરી હતી અને દીકરાએ અલગ રહેવા જવાની ના પાડતા મનમાં લાગી આવતા અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે ત્રીજા બનાવમાં વાંકાનેર શહેરના પંચાસર રોડ પર ધરમનગરમાં રહેતા જસવંતીબેન નીલેશભાઈ કરગઠીયા (ઉ.વ.૨૪) નામની પરિણીતાએ ગત તા. ૨૬ ના રોજ સાંજના સુમારે પોતાના ઘરે કોઈ કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મૃતક પરિણીતાનો લગ્નગાળો દોઢ માસનો હોવાનું જાણવા મળ્યું છે