સમગ્ર દિવસ દરમિયાન ૩૭ કેસ કરાયા: ૨૯ આરોપીઓની અટકાયત:૧૧ આરોપી પીધેલા પકડાયા: દેશી -વિદેશી દારૂ કબજે કરાયો
Jamnagar તા ૧૯
રાજકોટ રેંન્જ ના આઈજી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા જામનગર જીલ્લામાથી દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા સુચના આપી હતી.જેથી લાલપુરના એએસપી શ્રી, પ્રતિભા, જામનગર શહેરી વિસ્તારના ડીવાયએસપી જે એન ઝાલા, જામનગર ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી આર.બી દેવધા, તેમજ એલ.સી.બી.તથા જીલ્લા તમામ થાણાના અઘિકારી તથા સ્ટાફ દ્રારા પ્રેટ્રોલીંગ દરમ્યાન અનેક પ્રોહીબીશનના કેસો શોઘી કાઢવામા આવેલાં છે.
જેમાં ઇંગ્લીશ દારૂના ૪ કેસ કરાયા હતા જ્યારે દેશી દારૂ ના ૨૨ કેશ કરવામાં આવ્યા હતા. ઉપરાંત દારૂ નો નશો કરેલા ૧૧ શખ્સો ની અટકાયત કરી લેવામાં આવી હતી, ઉપરોકત દારૂના કેસોમા ૬૯ ઇંગ્લીશ દારૂની બોટલ તથા ૧૧૧ લીટર દેશી દારૂ મળી આવ્યો છે. જે ની સાથે કુલ ૩૯ આરોપી ને પકડી લઈ કુલ મુદામલ ૩૮,૩૦૦ નો મુદામલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.