શાળા નજીક ચારથી વધુ માણસો ભેગા થશે નહી કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઇ જય શકશે નહી
Rajkot,તા.19
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી જાહેર રજાના દિવસો સિવાય એસ.એસ.સી / એચ.એસ.સી. ની સામાન્ય/વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જુદી-જુદી શાળાઓમાં લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓમાં પરીક્ષાર્થીઓને કોઇપણ જાતની અડચણ વિના પરીક્ષા મુકત અને શાંત વાતાવરણમાં આપી શકે તેમજ બહારના કોઇ તોફાની તત્વો પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા વિધાર્થીઓને ખલેલ પહોંચાડે નહી તેમજ પરીક્ષા દરમ્યાન કોઇ ગેરકાયદેની પ્રવૃતિ આચરે નહી તે માટે તા.૨૭/૦૨ થી તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી જાહેર રજાના દિવસો સિવાય કલાક ૦૮/૦૦ થી કલાક ૧૯/૩૦ સુધી રાજકોટ શહેરના જે જે પરીક્ષા કેન્દ્રો (શાળાઓ)માં પરીક્ષા લેવાનાર છે. તે કેન્દ્રો (શાળાઓ)ના કંપાઉન્ડમા તેમજ તેની ચારેય બાજુની ૧૦૦ મીટરની ત્રીજયાના વિસ્તારમાં અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહી કે શાળાઓ (કેન્દ્રો)માં પ્રવેશ કરશે નહી કે વાહન લઈ જઈ શકશે નહી કે લાવશે નહી કે ચારથી વધુ માણસો ભેગા થશે નહી કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઇ જાય નહી. તે અંગે શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાના માર્ગદર્શન હેઠળ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલૂ છે.