Rajkot. તા.23
નવરાત્રિના પાવન પર્વની ગઇકાલથી શરૂઆત થઈ છે ત્યારે આ પાવન પર્વમાં ખેલૈયા કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
જેમાં નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ તહેવાર દરમિયાન ખાસ કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા, ટ્રાફિક મેનેજમેન્ટ, પોલીસ રિસ્પોન્સ અને વર્તન જેવી ચાર મુખ્ય બાબતોતો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા રાજ્યના પોલીસ વડાએ સૂચનાઓ આપી છે.
નવરાત્રિ દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને મજબૂત વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. આ માટે 16 વધારાની એસઆરપી કંપની અને 2 સ્ટેટ એક્શાન ફોર્સની ટુકડી ફાળવવામાં આવી છે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શી ટીમને સક્રિય કરવામાં આવી છે. આ ટીમના મહિલા પોલીસકર્મીઓ ગરબા ગ્રાઉન્ડ અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ વોચ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે, જેથી છેડતી કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક જરૂરિયાતના સમયે ગુજરાત પોલીસના પ્રોજેક્ટ જનરક્ષક 112 પર ફોન કરીને તાત્કાલિક પોલીસ મદદ મેળવી શકારો.
ઉપરાંત તહેવારોના સમયમાં મોડી રાત્રે પણ નાગરિકોની અવરજવર વધુ રહે છે, ત્યારે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતક રહેશે. કોઈ ઘટના બને તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે ક્વિક રિસ્પોન્સ માટે રાજજ્જ રહેવા તમામ પોલીસ કંટ્રોલ રૂમમાં સૂચના આપવા જણાવાયું છે. સિનિયર પોલીસ અધિકારીઓને કંટ્રોલ રૂમમાં હાજર રહેવાની પણ સૂચના અપાઈ છે. નાગરિકો સાથે પોલીસનું વર્તન સુયોગ્ય રહે અને તેઓ સુરક્ષિત અનુભવે તે માટે પણ કડક સૂચના આપવામાં આવી છે.
નવરાત્રિ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સાર્જાય તે માટે સતત એલર્ટ રહેવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન માટે વધારાનો સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. આ ટીમો ટ્રાફિકનું સુચારુ સંચાલન કરશે જેથી વાહનચાલકો અને રાહદારીઓને કોઈ અગવડ ન પડે.