વલ્લભીપુરથી તાલુકાના પાટી ગામનું અંતર ૩ કિ.મી.જેવુ થાય છે. પાટી ગામના વેપારીઓનું હટાણું તેમજ લોકોની જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની ખરીદીનું કેન્દ્ર વલ્લભીપુર છે. આ ગામમાં મોટા ભાગે પશુપાલનનો વ્યવસાય હોવાથી પશુપાલકોને દિવસમાં ચારથી પાંચ વાર વલ્લભીપુર આવવાનું રહેતું હોય છે. આ ગામ જવાનો રોડ વર્ષોથી તૂટી ગયો છે. અત્રે ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. ચોમાસામાં રોેડ ઉપર પાણી ફરી વળતા હોય જેથી ત્રણ -ચાર દિવસ પાટીગામ સંપર્ક વિહોણું થઇ જાય છે.ગ્રામજનો દ્વારા સંબંધિત જવાબદાર તંત્રને અનેકવાર મૌખિક ફરિયાદો કરાઈ છે પરંતુ પેધી ગયેલા જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. તેમજ નેતાઓ પણ આ નાનું ગામ હોવાથી રસ લેતા ન હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. સામાજિક કાર્યકર જીતેન્દ્રસિંહ ગોહિલએ આ રોડ તાત્કાલિક નવો અથવા રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે.
Trending
- Dhangadhra: યુવતી સાથે વાત કરવા મુદે છરી વડે હુમલામા આધેડ ની હત્યા
- Bhavnagar: મકાનમાંથી રૂપિયા 2.14 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
- Bhavnagar: વલભીપુરમાં ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો, ત્રણ બાઈક ચોરીના ભેદ ઉકેલાયા
- Bhavnagar: તળાજાના બુટલેગરને પાસા તળે ભુજ જેલમાં ધકેલાયો
- Rajkot: નાર્કોટીકસના ગુન્હામાં સપ્લાયર અખતરનવાઝ પઠાણની બિનતહોમત છોડી મુકવાની અરજી રદ
- Dhrol કોઠાધાર ની પરણીતાએ ઘરઘંકાશથી કંટાળી એસિડ પી આપઘાત
- Rajkot: પાંચ સ્થળોએ જુગારના દરોડા: લાખોનો મુદ્દામાલ કબજે
- Rajkot: માલધારી સોસાયટીમાં બુઢાપાથી થી કંટાળી વૃધ્ધનો આપઘાત