Lucknow, તા.8
ઘણાં સમયથી ઉત્તરપ્રદેશના રાજ્યપાલના પદ ઉપર આરૂઢ ગુજરાતના પૂર્વ અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ અચાનક પોતાના “મિજાજ” ના દર્શન કરાવ્યાં છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ યુપીના અમલદારશાહીથી ખુશ નથી.
રાજ્યપાલ અધિકારીઓની કાર્યશૈલીથી બિલકુલ સંતુષ્ટ નથી. ઘણા સમયથી અધિકારીઓની તલવારો મંત્રીઓ પર ખેંચાઈ રહી છે. એવામાં ગયા મહિને નિરીક્ષકના વલણથી પરેશાન, રાજ્યમંત્રી પ્રતિભા શુક્લાએ કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા.
ત્યારબાદ સીતાપુરમાં જેલ રાજ્યમંત્રી સુરેશ રાહીએ વીજળી વિભાગના જેઈથી કંટાળીને ધરણા કર્યાનો વીડિયો વાયરલ થયો હતો અને હવે ખુદ રાજ્યપાલ આનંદી બેેન પટેલની પણ નારાજગી સામે આવી છે.
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ યુપીના અમલદારશાહી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાજ્યપાલ શું કહી રહ્યા છે તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે.
આનંદીબેન પટેલે પોતાના પ્રવચન દરમ્યાન અચાનક યોગી સરકારની અમલદારશાહી ઉપર વર્ષી પડ્યાં હોય તેમ કહ્યું હતું કે, “રામ મંદિર જોઈ શકાય છે, પરંતુ ફાઇલ જોવા માટે, વ્યક્તિએ સતત એક ટેબલથી બીજા ટેબલ પર, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા, ચોથાથી પાંચમા ટેબલ પર જવું પડે છે.. !
ત્યાં બેઠેલા લોકોને જોવા પડે છે..” “ફાઇલ આવ્યા પછી, નીચલા અધિકારીને તેમાં ખામીઓ મળશે.. પછી ફાઇલ જશે આગળ વધો, પછી તે વધુ ખામીઓ શોધી કાઢશે.. પછી ખામીઓ સુધારી લેવામાં આવશે..”
વધુમાં તેમણએ કહ્યું કે, “પછી ત્રીજું ટેબલ ઉપર તે જાય છે અને ખામીઓ શોધે છે.. મારે ઉચ્ચ અધિકારીઓને ફક્ત એટલું જ કહેવું છે કે પહેલા ફાઇલ તમારા ટેબલ પર આવવી જોઈએ, જે વ્યક્તિ ત્યાં બેઠી છે તેણે બધી ખામીઓ શોધી કાઢવી જોઈએ અને તેને પૂર્ણ કરાવવી જોઈએ..”
આ આખોય ઘટનાક્રમ રાજ્યપાલ આનંદીબેન પટેલ અયોધ્યામાં CSR કોન્ક્લેવમાં બોલી રહ્યા હતા. તેમણે જે રીતે યોગી સરકારમાં નોકરશાહીને નિશાન બનાવી છે તેણે લઈને હલચલ મચાવી દીધી છે અને રામલલ્લાનું નામ લઈને સંઘ સામેની પોતાની નારાજગી વ્યક્ત કરી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.