Prayagraj,તા.09
પ્રયાગરાજમાં મહાકુંભ માટે દેશના ખુણે ખુણેથી નાગા સાધુઓ પહોંચી રહ્યા છે અને તેઓ હઠ યોગની કઠોર તપસ્યાનું પ્રદર્શન કરતા જોવા મળે છે. એવામાં શંભુ પંચાયતી અટલ અખાડાના પ્રમોદગીરી મહારાજે સવારે 4 વાગ્યે ઉઠીને શિયાળાની કડકડતી ઠંડીમાં 61 ઘડા ભરેલા પાણીથી સ્નાન કર્યુ હતું.
આમ તો આ રસમ 41 દિવસ સુધી રોજ કરવાની હોય છે. પણ મહાકુંભમાં જગ્યા અને સમયના અભાવે આ રસમ માત્ર ર1 દિવસ કરવામાં આવશે. આ અનોખા અનુષ્ઠાનના પહેલા દિવસે 51 ઘડા ભરેલા પાણીથી શરૂઆત કરવામાં આવી હતી.
એ પછી દરરોજ તિથિ મુજબ બે કે ત્રણ ઘડા વધારીને લેવામાં આવે છે. ગઇકાલે પ્રમોદગીરી મહારાજે 61 ઘડા પાણીથી સ્નાન કર્યુ હતું.