Gandhinagar,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિવંદના માટે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ દિવંગત વિજયભાઈના ધર્મપત્ની શ્રીમતિ અંજલિબેન તથા પુત્ર ઋષભ સહિત શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી.