Morbi,તા.20
લખધીરપુર ગામે ગરીબ લાભાર્થીઓને ૧૦૦ ચો.વાર પ્લોટ આપવા માટે નીમ થયેલ ૧ વીઘા જમીન પર કરવામાં આવેલ દબાણ આજે દુર કરવામાં આવ્યું હતું અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી
લખધીરપુર ગ્રામ પંચાયતની સર્વે નં ૭૨/૧ પૈ ૧ ની નવા ગામતળની જમીનમાં લખધીરપુર ગામના રહીશ દેવજીભાઈ ગંગારામભાઈ ખાણધર દ્વારા આશરે ૧ વીઘાની સરકારી જમીનના દબાણ કર્યું હતું જે જમીન ગરીબ લાભાર્થીઓને ૧૦૦ ચો.વાર પ્લોટ આપવા માટે નીમ થયેલ હતી જેથી તાલુકા પંચાયત કચેરી અને લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫ અંતર્ગત કાર્યવાહી કરી દબાણો હટાવવામાં આવ્યા હતા દબાણકર્તાએ સ્વૈચ્છિક દબાણો ના હટાવતા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આશરે ૧ વીઘાથી વધુની ગામ તળની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી જે જગ્યે ટૂંક સમયમાં ગરીબ લાભાર્થીને ૧૦૦ ચો. વાર પ્લોટ સોપવાની કામગીરી હાથ ધરવામાં આવશે