New Delhi,
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ પર આ દેશના વડાપ્રધાન જેવો મુખ્ય સલાહકારનો હોદો ધરાવતા મુહમ્મદ યુનુસને એક પત્ર લખીને અભિનંદન પાઠવ્યા હતા.
તો હાલમાં જ બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધક અને એકંદરે આ દેશની સરકાર ભારત વિરોધી જે વલણ અપનાવી રહી છે તો બાંગ્લાદેશના સર્જન અને વિકાસમાં ભારતના મહત્વપૂર્ણ યોગદાનની પણ યાદ અપાવી હતી તથા બન્ને દેશના હિતો જોયા છે અને બન્નેએ એકબીજા પ્રત્યે પરસ્પરના સરકાર અને સંવેદનશીલતાની આવશ્યકતા પણ દર્શાવી હતી તથા જણાવ્યું હતું કે પ્રાદેશિક સ્થિરતા માટે બન્ને દેશોએ સાથે મળીને કામ કરવું જરૂરી છે.
હાલમાં જ બાંગ્લાદેશના મુખ્ય આર્થિક સલાહકાર યુનુસે થાઈલેન્ડમાં બ્રિમ્યોક શિખર સંમેલનમાં હાજર રહેનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની ઈચ્છા દર્શાવી છે. જો કે ભારતે હજું સુધી તેનો કોઈ જવાબ પાઠવ્યો નથી.
શ્રી મોદીએ લખ્યું કે, આજનો દિવસ એ ભારત બાંગ્લાદેશના સંયુક્ત ઈતિહાસનો છે અને બન્ને દેશના લોકોએ બલીદાન આપ્યા છે અને તેણે આપણી દ્વીપક્ષીય ભાગીદારીનો પાયો નાંખ્યો છે.
બીજી તરફ વિદેશમંત્રી શ્રી એસ.જયશંકરે સંસદીય સમીતી સમક્ષ બતાવ્યું હતું કે વડાપ્રધાન સાથે બેઠકની બાંગ્લાદેશની વિનંતી પર વિચારણા થઈ રહી છે. તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે બાંગ્લાદેશ જે રીતે સંવેદનશીલ મુદાઓ પર જે ‘દેખાવ’ જેવી સ્થિતિ ઉભી કરે છે તેનાથી ભારત સતર્ક છે.