New Delhi,તા.12
આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં શહીદ થયેલા સૈનિકો પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. પ્રિયંકા ગાંધીએ પોતાના ડ હેન્ડલ પર લખ્યું, ’ભારતીય સેનાની આતંકવાદીઓ સામેની કાર્યવાહી અને પાકિસ્તાન સાથે લશ્કરી મુકાબલા દરમિયાન આપણા ઘણા સૈનિકોની શહાદત અત્યંત દુ:ખદ છે.
આપણી સેનાના બહાદુર સુબેદાર પવન કુમાર જી, સિપાહી એમ મુરલી નાયક જી, લાન્સ નાયક દિનેશ કુમાર જી, બીએસએફ સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ જી, સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર મોગા, રાઇફલમેન સુનીલ કુમાર અને રાજૌરી પોલીસ અધિકારી રાજ કુમાર થાપા જી એ દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ ઉપરાંત, ઘણા નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે.
પ્રિયંકાએ કહ્યું, ’હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.’ આ મુશ્કેલ સમયમાં આખો દેશ શોકગ્રસ્ત પરિવારની સાથે ઉભો છે. આપણે બધા હંમેશા આપણા શહીદો અને તેમના પરિવારોના ઋણી રહીશું.