Mumbai,તા.22
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગુરુવારે પબ્લિક ઈશ્યુ પહેલાં એક્સચેન્જોમાં ફરજિયાત સિક્યોરિટી ડિપોઝિટની જરૂરિયાત નાબૂદ કરી છે. ઉદ્દેશ્ય જાહેર કલ્યાણ સાથે સંકળાયેલી કંપનીઓ માટે વ્યવસાય કરવાનું સરળ બનાવવાનો છે.
સેબીએ કહ્યું કે આ પગલું તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. નોંધનીય છે કે અત્યાર સુધી કોઈપણ કંપની જે ઈક્વિટી શેરને પબ્લિક ઈશ્યુ લાવવા માંગતી હોય તેણે ઈસ્યુના કદનાં એક ટકા જેટલી રકમ સ્ટોક એક્સચેન્જમાં જમા કરાવવી પડે છે.
જેથી રોકાણકારોને રિફંડ સિક્યોરિટીઝની ફાળવણી અને પ્રમાણપત્રો મોકલવાનું સુનિશ્ચિત કરી શકાય. જો કે, ઇશ્યુ પછી જમા થયેલી રકમ કંપનીને પરત કરવામાં આવે છે. સેબીએ એસએમઈ આઇપીઓ સંબંધિત ક્ધસલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. સેબીએ પેપરના ઇશ્યૂ માટે સબસ્ક્રિપ્શનનું લઘુત્તમ કદ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
એઆઇએફ નિયમોમાં સુધારો
સેબીએ વૈકલ્પિક રોકાણ ફંડ નિયમોમાં સુધારો કર્યો છે. એઆઇએફ યોજનાબદ્ધ રોકાણોમાંથી ઉદ્ભવતા જોખમો અને નફો યોજનામાં રોકાણકારોના યોગદાનના પ્રમાણમાં વહેંચવા જોઈએ. જેથી રોકાણકારોને આવકની વહેંચણી વિશે માહિતી મળી શકે.