New Delhi,તા,04
ભારત અને રશિયાના સંબંધોને એક નવી રાજદ્વારી-વ્યાપારીક-સંરક્ષણ ઉંચાઈ પર લઈ જવાની શકયતા વચ્ચે આજે સાંજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીનના દિલ્હી આગમન સાથે જ વિશ્વભરની નજર ભારત પર હશે.
અમેરિકાના ટેરીફ-વોર અને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે અનેક પ્રકારના પ્રતિબંધો વચ્ચે રશિયા હવે ક્રુડતેલ અને રાજદ્વારી મોરચે પણ ભારત પર વધુ આધારિત બન્યુ છે તે સમયે રાષ્ટ્રપતિ પુટીન સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની શિખર મંત્રણા મહત્વની સાબીત થશે.
શ્રી પુટીન તેના વ્યાપાર સુધીના સૌથી મોટા કેબીનેટ-વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે ભારત આવી રહ્યા છે. આજે દિલ્હી પહોંચ્યા બાદ વડાપ્રધાન નિવાસે તેઓને શ્રી મોદી ખાસ પ્રાઈવેટ-ડિનર આપશે અને બન્ને નેતાઓ વ્યક્તિગત વાતચીત પણ કરશે તો કાલે સવારે શ્રી પુટીન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલી કરશે અને બાદમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રી પુટીનનું પરંપરાગત ભવ્ય સ્વાગત થશે.
ભારત-પાક વચ્ચેની 23મી શિખર બેઠકમાં વ્યાપક વ્યાપારીક સંરક્ષણ સહિતના કરાર થશે. શ્રી પુટીન સાથે રશિયાના આર્થિક વિકાસ મંત્રી ઉપરાંત વિદેશ-સંરક્ષણ વિભાગ સહિત અડધો ડઝનથી વધુ મંત્રીઓ આવી રહ્યા છે જે હાલમાં કોઈ વિદેશ યાત્રાએ જનાર સૌથી મોટું કેબીનેટ પ્રતિનિધિમંડળ છે તો રશિયાની ટોચની 75 કંપનીઓના એકઝીકયુટીવ ભારત પહોંચી ગયા છે.
ભારત અને રશિયા વચ્ચેના વ્યાપારધારામાં રશિયા વધુ આયાત ભારતમાં કરે તેવી શકયતા છે. શ્રી પુટીનની સાથે રશિયાના સંરક્ષણમંત્રી શ્રી મોદ્દે બેલૌસોપ પણ ભારત આવ્યા છે અને તેઓ આજે સાંજે સંરક્ષણમંત્રી રાજનાથસિંઘ સાથે સંરક્ષણ ક્ષેત્રે એસ-500 એરડિફેન્સ સીસ્ટમ પર કરાર થઈ શકે છે.
શ્રી બેલોસોપ એક અર્થશાી છે અને યુક્રેન સાથેના લાંબા યુદ્ધ છતા પણ રશિયાના અર્થતંત્રને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આમ ભારતને એસ-500 એર ડિફેન્સ સીસ્ટમ મળે તે અત્યંત મહત્વનું બની જશે.
યુક્રેન યુદ્ધ બાદ પુટીનની પ્રથમ ભારત મુલાકાત
* શ્રી વ્લાદીમીર પુટીન સાંજે ભારત આવશે તેઓ કઈ હોટલમાં રહેશે તે જાહેર કરાયું નથી પણ દિલ્હીમાં હાઈએલર્ટ જાહેર છે અને અર્ધલશ્કરી દળોને ઉતારાયા છે.
* શ્રી પુટીન સાંજે વડાપ્રધાન આવાસે ખાસ ડીનર માટે જશે.
* શ્રી પુટીને વડાપ્રધાન મોદીને આજ રીતે તેમના પ્રાઈવેટ આવાસમાં મોસ્કોમાં રાત્રીનું ભોજન આપ્યુ હતું.
* યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુટીનની આ પ્રથમ ભારત મુલાકાત છે.
આજે એક તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન ભારત આવી રહ્યા છે તે સમયે જ ભારતે અમેરિકા પાસેથી એલ.પી.જી. ખરીદવા માટેનું બીજું ટેન્ડર ઈશ્યુ કર્યુ છે. અમેરિકા સતત ભારત પર ટેરિફ મુદે અને ખાસ કરીને રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવાનું બંધ કરવા દબાણ લાવી પ્રતિબંધ મુકી રહ્યું છે.
તે વચ્ચે અમેરિકા સાથે વ્યાપાર વધારવા જ નવી રણનીતિના ભાગરૂપે બે માસમાંજ આ બીજું એલપીજી ટેન્ડર ઈશ્યુ કર્યુ છે. અમેરિકા પાસેથી ઈંધણ ખરીદી 1.42 મીલીયન ટનની થઈ ગઈ છે. ભારત અત્યાર સુધી તેની આવશ્યકતાનું મોટાભાગનું એલપીજી ગલ્ફમાંથી ખરીદતુ હતુ પણ હવે અમેરિકન ખરીદી વધારી છે અને આ ખરીદી 2026માં 2 બીલીયન ડોલરની થઈ જશે.

