પૂર્વ અને દ.ચીન સમુદ્રમાં બળ કે જોહુકમીથી યથાવત્ પરિસ્થિતિ પલટવાના પ્રયાસોનો સામનો કરાશે
ત્રાસવાદી સંગઠનો પાકે દબાવી દેવો જોઇએ
Tokyo/New Delhi,તા.31
ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમરેકિાના બનેલા ક્વૉડ સમૂહના પ્રતિનિધિઓએ ગઇકાલે (સોમવારે) તેમની પરિષદના અંતિમ દિને પ્રસિધ્ધ કરેલાં એક સત્તાવાર નિવેદનમાં દક્ષિણ ચીન સમુદ્ર અને પૂર્વ ચીન સમુદ્રમાં ચીન દ્વારા કરાતી જોહુક્મી બંધ કરવા ચીનને સ્પષ્ટ ચેતવણી આપી છે. આ સાથે પાકિસ્તાનને પણ તેની ભૂમિ ઉપર સક્રિય રહેલાં ત્રાસવાદી સંગઠનોને કડક હાથે દબાવી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ક્વૉડ દેશોના વિદેશ મંત્રીઓની ટોક્યોમાં મળી રહેલી આ પરિષદે હવે માત્ર સુષ્ટુ સુષ્ટુ વાના કરવાને બદલે તમામ સભ્ય દેશોને તૈયાર રહેવા પણ અનુરોધ કરાયો છે. જો કે આ પરિષદે પાકિસ્તાનનાં નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેમ કહ્યું હતું કે અલકાયદા આઈએસઆઈએસ, દાએશ, લશ્કર-એ-તૈય્યબા જેશ-એ-મોહમ્મદ જેવાં જૂથો જે દેશની ભૂમિ ઉપર કાર્યરત છે તે દરેકે તેમને દબાવવા પોતાની તમામ તાકાત વાપરવી જોઇએ.
આ ઉપરાંત ક્વૉડ દેશોએ ગાઝા તેમજ યુક્રેન યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરતાં ત્યાં શાંતિ સ્થાપવા બધાએ સાથે મળી પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો.આ પરિષદમાં ભારત વતી ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઉપસ્થિત હતા, વાસ્તવમાં તેઓએ જ સંયુક્ત નિવેદન ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.