બે દિવસ પૂર્વે જ તમિલનાડુથી આવેલા યુવાને મોતની છલાંગ લગાવી, કારણ અકબંધ
Rajkot,તા.25
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ કર્મચારી તરીકે કામ કરતા અને બે દિવસ પૂર્વે જ રાજકોટ ખાતે આવનાર તમિલનાડુના 26 વર્ષીય યુવાને ન્યારી ડેમમાં મોતની છલાંગ લગાવી હતી. ન્ યુવાને પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તાલુકા પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે ન્યારી ડેમમાં સાંજે સાડા સાતેક વાગ્યે એક યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડના તરવૈયાઓએ પહોંચી બહાર કાઢી હતી. ૧૦૮ના ઇએમટી કવિતાબેને તેને મૃત જાહેર કરતાં તાલુકા પોીસ સ્ટેશનના એએસઆઇ જી. કે. પરમાર સહિતે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક યુવાન પાસેથી રાજકોટની ખાનગી હોસ્પિટલનું આઇકાર્ડ મળતાં તેના આધારે તપાસ શરૂ થતાં આ યુવાન અમદાવાદ રહેતો અને હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ વિભાગમાં નોકરી કરતો અરૂણકુમાર સેલ્વરાજ (ઉ.વ.૨૬) હોવાનું ખુલ્યું હતું.
આ યુવાન મુળ તામિલનાડુનો હતો અને અમદાવાદમાં રેડિયોલોજીસ્ટ વિભાગમાં ફરજ બજાવતો હતો. રાજકોટની હોસ્પિટલના આ વિભાગના બે કર્મચારી રજા પર ગયા હોઇ તેની જગ્યાએ તે નોકરી કરવા આવ્યો હતો. તેણે શા માટે આ પગલુ ભર્યુ? તેની વિગતો બહાર આવી નથી. પોલીસ તેના પરિવાજનોના નિવેદન નોંધી આગળ કાર્યવાહી કરશે. બનાવને પગલે અરેરાટી વ્યાપી ગઇ હતી.