New Delhi,તા.09
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાંજ કાશ્મીરને દેશ સાથે રેલવે મારફત જોડાતા એન્જીનીયરીંગના કમાલ જેવા ચીનાબ રેલવે બ્રીજને ખુલ્લો મુકયો અને ખુદ વંદેભારત ટ્રેનમાં સફર કરી તે સમયે ઓપરેશન સિંદુર બાદની સ્થિતિ જોતા વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
મોદીએ ચીનાર અને એજી બ્રિજને ખુલ્લો મુકયો હતો. મોદીએ આ બ્રિજનું ઉદઘાટન કરવા સિંગલ કોચની ઈન્સ્પેકસન કારનો ઉપયોગ કરાયો જેમાં વડાપ્રધાને સફર કરી હતી. આ કોચમાં અમેરિકાના પ્રમુખના ખાસ વિમાન એરફોર્સ-વનની માફક જ અત્યંત સુરક્ષીત બનાવાયો હતો.
આ કોચ બુલેટપ્રુફ હતો. મોદીએ જયારે યુક્રેનની સફર કરી તે સમયે તેઓના માટે આ પ્રકારના કોચનો ઉપયોગ થયો હતો. વડાપ્રધાનના સંદેશાવ્યવહાર માટે આ કોચમાં તમામ સુવિધા રાખવામાં આવી હતી અને તે વિજળી નહી પણ ડિઝલથી ચાલતો હતો.
કોઈપણ સ્થિતિમાં વિજળી ગુલ થાય તો પણ કોલ ચાલતો જ રહે તેથી આ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કોલમાં 25 લોકોને બેસવા માટે જગ્યા હોય છે પણ વડાપ્રધાન સાથે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી-ઉપરાજયપાલ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ તથા કમાન્ડોજ સફરમાં સામેલ કરાયા હતા.