Rajkot તા.૨૪
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો પણ સંકલ્પ કરેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વાજડી ગઢમા ચેકડેમનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું .
વાજડી ઞઢના સરપંચ ભુપેન્દ્રસિંહ જાડેજા દ્વારા ખુબ સરસ માહિતી આપવામાં આવી છે જેમાં પંડિત કહેતા હતા કે પાવરે પાણી વહેચાશે તો આજે પ્લાસ્ટિકની બોટલોમાં પાણી વેચવા માંડ્યું છે તો આ કાર્ય ખૂબ સારું હોય અને લોકો એમાં જોડાઈ તો ૫૦ વર્ષ પછી ગંભીર પરિસ્થિતિ આવવાની હોયએ ન આવે.
વાજડી ઞઢના ઉપસરપંચ એભલભાઈ ડાંગર દ્વારા જણાવેલ કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે વરસાદનું પાણી રોકવામાં આવે છે, કારણકે ભવિષ્યમાં પાણીની તંગી ઊભી ન થાય જેથી અમે અમારા ગામમાં કાર્ય ચાલુ કર્યું છે તે ખૂબ સરાહનીય છે, કારણ કે જ્યાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડેમ બન્યા ત્યાં ખેડૂતને ખૂબ મોટો ફાયદો થયો છે.