Rajkot, તા. 24
રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ ફાયર એનઓસીના નિયમો કડક બન્યા છે ત્યારે ચાલુ વર્ષે દિવાળીના તહેવારો માટે ફટાકડાના સ્ટોલ કરવા અત્યાર સુધીમાં અઢીસોથી વધુ મંજૂરી મનપાએ આપી છે તો 150 જેટલા સ્ટોલને આવતીકાલ સુધીમાં એનઓસી ફાળવી દેવાશે.
શહેરમાં અનેક મોટા વિક્રેતાઓએ ફટાકડાના સ્ટોલ માટે ફાયરની મંજુરી મેળવવા અરજી કરતા આજ સુધીમાં 253 સ્ટોલને ફાયર એનઓસી ફાળવી દેવામાં આવી છે અને પેન્ડિંગ રહેલ 155 સ્ટોલની સ્થળ તપાસની કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ થતાં તમામને ફાયર એનઓસી આપી દેવામાં આવશે તેમ ફાયર વિભાગે જણાવ્યુ હતું.
વેપારીઓને તો જગ્યા પર વ્યવસ્થા કરવાથી એનઓસી મળી જાય છે પરંતુ રસ્તા પર ફટાકડા વેચતા ધંધાર્થીઓને કાયદેસર મંજૂરી મળવી મુશ્કેલ છે. શહેરમાં આજ સુધીમાં 408 વિક્રેતાઓએ ફટાકડાના સ્ટોલ માટે અરજી કરતા જે પૈકી 253 સ્ટોલ ધારકોને ફાયર એનઓસી આપી દેવામાં આવી છે. આ એનઓસી પરથી જ પોલીસની મંજૂરી મળે છે તે ઉલ્લેખનીય છે.