રૂ.૧૦,૩૦ લાખ વળતર એક માસમા ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદનો હુકમ
Rajkot,તા,૨૫
શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી હાથ ઉછીની રકમ રૂપિયા 10.30 લાખ પરત કરવા આપેલો એક પરત ફરવાના ગુનામાં કોન્ટ્રાક્ટરને દોઢ વર્ષની સજા અને રૂ.૧૦,૩૦ લાખ વળતર પેટે એક માસમા ચુકવવા તેમજ વળતર ના ચુકવે તો વધુ છ માસની કેદનો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામા આવેલો હતો.
વધુ વિગત મુજબ શહેરમાં રહેતા હરેશભાઈ રામભાઈ વાળા અને કૌશીકભાઈ છગનભાઈ લાઠીયા મીત્રતાના સંબંધ હતા. આ સંબંધના નાતે કૌશીકભાઈ છગનભાઈ લાઠીયાને પોતાને કન્સ્ટ્રક્શનના કામમાં અને અંગત જરૂરીયાત ઉપસ્થીત થતા હરેશભાઈ વાળા પાસેથી હાથ ઉછીની રકમ રૂ.૧૦,૩૦ લાખ માંગતા હરેશભાઇએ રૂ.૧૦,૩૦ લાખ આપેલા હતા. બાદ આ રકમ પરત માંગતા કૌશીકભાઈ લાઠીયાને રૂ.૧૦,૩૦ લાખનો ચેક આપેલો હતો. હરેશભાઈ વાળા એ બેંક ખાતામા ચેક ડીપોઝીટ કરતા ચેક પરત ફરેલ હતો. બાદ હરેશભાઈ વાળા દ્વારા ધી નેગોશીયેબલ ઈન્ટ્રુમેન્ટ એકટની જોગવાઈઓ મુજબ ફરીયાદ દાખલ કરેલી હતી જે કેસ ચાલી જતા અને હાલના કામે રજુ થયેલ પુરાવાઓની વિસ્ત્રુત છણાવટ અને ફરીયાદ પક્ષ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવાના આધારે અને દલીલને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી ઉપરોક્ત્ત ગુનાના કામે કૌશીકભાઈ છગનભાઈ લાઠીયાને દોઢ વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.૧૦,૩૦ લાખ વળતર પેટે એક માસમા ચુકવી આપવા અને જો આ રકમ ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદનો હુકમ કરવામા આવેલો છે. આ કામમા ફરીયાદી વતી એડવોકેટ રણજીતભાઈ એમ.પટગીર, સાહિસતાબેન એસ. ખોખર, પી. એચ. રેણુકા મીતેશ એચ. ચાનપૂરા તેમજ પ્રહ્લાદયસીહ બી. ઝાલા રોકાયેલ હતા.