નાના મવા સર્કલ પાસે ટ્રાફિક પોલીસને ને માર મારવાના ગુનામાં નવ માસની સજા કરી હતી
Rajkot,તા.૧૭
રાજકોટમાં નાના મવા સર્કલ પાસે ટ્રાફિક પોલીસને માર મારી ફરજ રૂકાવટના છ વર્ષ પહેલાંના કેસમાં ટ્રાયલ અદાલતે ચાર આરોપીને ફટકારેલી નવ માસની સજા અને દંડના હુકમ સામે બે આરોપીએ કરેલી અપીલ સેશન્સ કોર્ટે મંજૂર કરી બંનેને પ્રોબેશનનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો છે
પોલીસને માર મારી ઈજા પહોંચાડી ફરજમાં રૂકાવટના કેરામાં આ૨ોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આ કેસની હકીકત મુજબ ટ્રાફીક શાખામાં નોકરી કરતા સારંગભાઈ ચંદુભાઈ આંગણીયા ગઇ તા. ૧૩/ ૧૨/ ૨૦૧૮ના રોજ નાનામવા સર્કલ પાસે ફરજ પર હતા ત્યારે એક મોટર સાઇકલવાળો ડબલ સવારીમાં હોય અને સાઈડ બંધ હોવા છતાં વચ્ચે આવી જવા બાબતે ટ્રાફિક પોલીસે ટપારતા બંને શખસોએ એકદમ ઉશ્કેરાઈ જઈ શર્ટ પકડી ઝપાઝપી અને મારામારી કરી હતી, ત્યારબાદ એક ઈસમે તેના મિત્રોને ફોન કરી બોલાવેલ અને તે મિત્રો પોલીસ સાથે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગેલ તે દરમિયાન પોલીસે ૧૦૦ નંબરમાં ફોન કરી ગાડી બોલાવેલ અને કુલ ચાર આરોપીઓને પકડેલ હતા. જેમાં નિલેશ ભગાભાઈ ઝાપડા, મેહુલ નરેન્દ્ર ચૌહાણ, પાર્થ પરસોતમભાઈ પાંભર, નિલેશ નરેશભાઈ ચૌહાણને અટક કરેલ હતા. ત્યારબાદ ઉપરોકત કેસ નીચેની અદાલતમાં ચાલતા 2017ની સાલમાં ચારેય આરોપીઓને નવ નવ માસની સજા અને રૂપિયા 2000 દંડનો હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઈને ઉપરોક્ત ચાર આરોપી પૈકીના પાર્થ પરસોતમભાઈ પાંભર તથા નિલેશ નરેશભાઈ ચૌહાણે તેમના વકીલ દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ કરીલ હતી. અપીલના કામે બંને આરોપીઓનો કોઈ ગુન્હાહિત રોલ ન હોય તેમજ અભ્યાસ કરતા હોય તે ધ્યાને લઈ અપીલ કોર્ટે આરોપીઓને પ્રોબેશનનો લાભ આપી નિર્દોષ છોડી મુકેલ હતા.આ કેસમાં આરોપીઓ અએડવોકેટ યોગેશ ઉદાણી, દેવાંગ ઉદાણી તથા સોનલ ઉદાણી રોકાયા હતા.